દાંતા સર ભવાનીસિંહ વિદ્યાલય ખાતે "પરીક્ષા પે ચર્ચા" કાર્યક્રમ યોજવામાં આવ્યો. - At This Time

દાંતા સર ભવાનીસિંહ વિદ્યાલય ખાતે “પરીક્ષા પે ચર્ચા” કાર્યક્રમ યોજવામાં આવ્યો.


દાંતા સર ભવાનીસિંહ વિદ્યાલય ખાતે "પરીક્ષા પે ચર્ચા" કાર્યક્રમ યોજવામાં આવ્યો.

આજે સમગ્ર દેશમાં દેશના માનનીય વડા પ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના અધ્યક્ષ સ્થાને પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓ નો પરીક્ષા બાબતે જે તણાવ રહે છે તે દૂર કરવાનો છે. જે અંતર્ગત સર ભવાનીસિંહ વિદ્યાલય દાંતા ખાતે ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓ માટે projector પર સમગ્ર કાર્યક્રમ નીદર્શિત કરવામાં આવ્યો હતો. જેમાં શાળાના મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં મહેમાન તરીકે દાંતા તાલુકાના ભાજપના અગ્રણીઓશ્રી લાધૂભાઈ પારઘી, અમૃતભાઈ ઠાકોર, લાલસિંહ સોલંકી, વિરેન્દ્રસિંહ બડગુર્જર, નિલેશભાઈ બુંબડીયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ પણ બાળકોને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના કમ્પ્યુટર શિક્ષક શ્રી બી સી પરમાર સાહેબે કર્યું હતું. છેલ્લે શાળાના આચાર્યશ્રી અને સુપરવાઈઝરશ્રીએ તમામ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.