લીલીયા મોટા આંગણવાડી કેન્દ્રો દ્વારા અયોધ્યા માં શ્રી રામ ના આગમનની ઉજવણી કરવા માં આવી - At This Time

લીલીયા મોટા આંગણવાડી કેન્દ્રો દ્વારા અયોધ્યા માં શ્રી રામ ના આગમનની ઉજવણી કરવા માં આવી


આજરોજ લીલીયા મોટા ખાતે આંગણવાડી કેન્દ્ર નંબર 1 થી 11 માં રામના આગમનની ઉજવણી કરવામાં આવી જેમાં તમામ કેન્દ્રના બાળકોને રામ, લક્ષ્મણ, હનુમાન, સીતાજી, શબરી ના પાત્રોની વેશભૂષા કરાવવામાં આવી અને આંગણવાડી કેન્દ્ર નંબર 4 ઉપર તેમજ આંગણવાડી કેન્દ્ર નંબર 6 ઉપર ઉજવણી કરવામાં આવી જેમાં રામજી મંદિરના ગર્ભગૃહમાં બાળકો દ્વારા આરતી કરાઈ અને ભગવાન શ્રી રામ ના આશીર્વાદ લઇ પ્રસાદ ની વહેચણી કરી અયોધ્યામાં ભગવાન રામ ની થનાર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ની ઉજવણી કરવામાં આવેલ તેમ ઈમરાન પઠાણ ની અખબારી યાદી માં જણાવેલ છે

રિપોર્ટર
ઈમરાન એ પઠાણ
લીલીયા મોટા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.