આટકોટ કેડીપી હોસ્પિટલ ખાતે અયોધ્યા રામ મંદિરની થીમ મૂકવામાં આવી - At This Time

આટકોટ કેડીપી હોસ્પિટલ ખાતે અયોધ્યા રામ મંદિરની થીમ મૂકવામાં આવી


આટકોટ કેડીપી હોસ્પિટલ ખાતે અયોધ્યા રામ મંદિરની થીમ મૂકવામાં આવી હતી જેમાં કેડીપી હોસ્પિટલના મેનેજિંગ ટ્રસ્ટી તેમજ ભારતીય જનતા પાર્ટીના ઉપાધ્યક્ષ ડોક્ટર ભરતભાઈ બોઘરા દ્વારા થીમ ખુલ્લી મુકવામાં આવી હતી અને સાથે અલ્પેશભાઈ રૂપારેલીયા, વિજયભાઈ રાઠોડ, જીગ્નેશભાઈ હિરપરા, કમલેશભાઈ હિરપરા, અનિલભાઈ મકાણી, અશોકભાઈ મહેતા, રાજુભાઈ ધાધલ, પંકજ ભાઈ ચાંવ, પરેશ ભાઈ રાદડીયા, અમિતભાઈ ત્રિવેદી, મનિષભાઈ શિવ સ્કૂલ, તેમજ જસદણ અટકોટના તમામ પત્રકાર ભાઈઓએ રામ મંદિર થીમ દર્શનના લાભ લીધો હતો. વધુમાં ડોક્ટર ભરતભાઈ જણાવ્યું હતું કે સમગ્ર ભારત દેશમાં અને દરેક નાગરિકને આવનાર 22 જાન્યુઆરીના રોજ તમામ નાગરિકો અયોધ્યા ધામ ખાતે રામલલાની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા ના પ્રસંગે જોડાઈ અને આ પ્રસંગને વધારે ને વધારે લોકો એક સાથે જોડાઈ અને પરિવાર સાથે અનેરો અવસરનો આનંદ લે તેવો અનુરોધ કર્યો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.