રાજુલા ધર્મશાળાની પાછળ ઓરડા પરની છત પડી મોટી જાનહાની ટળી શહેરમાં આવા જર્જરિત બાંધકામો નો સર્વે કરી કાર્યવાહી કરવા માંગ. - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/9czovjzkgh5bd2pw/" left="-10"]

રાજુલા ધર્મશાળાની પાછળ ઓરડા પરની છત પડી મોટી જાનહાની ટળી શહેરમાં આવા જર્જરિત બાંધકામો નો સર્વે કરી કાર્યવાહી કરવા માંગ.


તાજેતરમાં જામનગર અને જુનાગઢમાં જુના બાંધકામો પડવાની ઘટનાઓ બનવા પામી હતી ત્યારે આજે રાજુલામાં એક સામાન્ય ઘટના બનવા પામી હતી ત્યારે આવી ઘટનાઓ હવે ગંભીર સ્વરૂપે ન બને તે માટે રાજુલા શહેરમાંથી જુના બાંધકામોનો સર્વે કરી યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી ઉઠવા પામી છે

જાણવા મળતી વિગત મુજબ રાજુલા શહેરમાં આવેલી ધર્મશાળા ની પાછળ નો ભાગ જેમાં એક મકાનની આખી છત મોડી રાતે ધરાશાહી થવા પામી હતી અને આ ઘટના રાતે બનતા મોટી જાનહાની ટળી હતી કારણ કે આ રસ્તા ઉપર વિવિધ દુકાનો આવેલી છે તેમ જ હોસ્પિટલ આવેલી છે લોકોની અવરજવર રહેતી હોય છે ત્યારે આ ઘટના રાતે બનતા કોઈ જાતની જાનહાની કે કોઈ ઘટના બનવા પામેલ ન હતી પરંતુ આ છત પડતા આ વિસ્તારના રહીશોમાં અને દુકાનદારોકોમાં ભાઈનો માહોલ ઊભો થવા પામ્યો હતો

નોંધનીય બાબત છે કે રાજુલા શહેરમાં ઘણા ખરા બાંધકામોમાં નગરપાલિકા કોમ્પ્લેક્સોમાં છત પડું પડું થઈ રહી છે તેમજ અમુક મકાનો પણ જર્જરી તેને જૂની બાંધકામ ધરાવતા હોય છે ત્યારે નગરપાલિકા તંત્ર દ્વારા આવા બાંધકામો તેમજ મકાનોનો સર્વે કરી ઈસમોને નોટિસ આપી કોઈ અનિચ્છનીય ઘટના કે કોઈ ગંભીર ઘટના ન બને તે માટે તકેદારી કરવા માંગણી ઉઠવા પામી છે


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]