રાજકોટના લોન કન્સલ્ટન્ટ યુવાન નો આજીડેમમાં ઝંપલાવી આપઘાત - At This Time

રાજકોટના લોન કન્સલ્ટન્ટ યુવાન નો આજીડેમમાં ઝંપલાવી આપઘાત


રાજકોટના ગાંધીગ્રામ વિસ્તારમાં રહેતાં 25 વર્ષીય લોન કન્સલ્ટન્ટ ધવલ સવાણી નામના યુવાને મોડી રાતે આજીડેમમાં ઝંપલાવી આપઘાત કરી લેતા પરીવારમાં અરેરાટી સાથે આક્રંદ છવાયો હતો.બનાવની જાણ થતાં આજીડેમ પોલીસ અને ફાયરબ્રીગેડની ટીમે દોડી જઈ યુવકનો મૃતદેહ બહાર કાઢયો હતો.
પ્રાપ્ત વિગત મુજબ, રાજકોટના ગાંધીગ્રામ વિસ્તારમાં હરસિદ્ધી સોસાયટી-1માં રહેતાં ધવલ દિનેશભાઈ સવાણી (ઉ.વ.25) નામનો યુવાન ગઈકાલે ઘરેથી સાંજના નિકળી ગયા બાદ મોડી રાત સુધી પરત ઘરે ન આવતાં પરીવારજનો ચીંતીત થયા હતાં.
દરમીયાન તેના મોબાઈલ નંબર પરથી એક અજાણ્યા વ્યકિતનો ફોન આવેલ અને જાણ કરેલ કે આ મોબાઈલ અને બાઈક આજીડેમ પાસે પડેલ છે. જેથી પરીવારજનો આજીડેમ દોડી ગયા હતાં. અને બાઈક જોતા તેમના પુત્રની હોવાનું સામે આવતા પોલીસને જાણ કરતો આજીડેમ પોલીસ સાથે ફાયર બ્રીગેડની ટીમ પર દોડી આવી હતી.અને ફાયરબ્રીગેડની ટીમે આજીડેમમાં યુવકની શોધખોળ હાથ ધરતાં યુવકનો મૃતદેહ હાથ લાગ્યો હતો.
આજીડેમ પોલીસે જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમ અર્થે સીવીલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. વધુમાં મૃતક યુવાન લોન મોર્ગેજ કરવાનું લોન કન્સલ્ટન્ટનું કામ કરતો હતો. અને તેના વિમા કન્સલ્ટન્ટનું કામ કરે છે. યુવકના મૃતદેહ પાસેથી એક સ્યુસાઈડનોટ મળી છે.જે હાલ તે પોલીસે કબ્જે કરી તપાસ હાથ ધરી છે.
વધુમાં મૃતક યુવાન બે બહેનનો એકનો એક ભાઈ હતો.વધુમાં પરીવારજનોએ જણાવ્યું હતું કે સાંજના તેની સાથે લોન મોર્ગોજનું કામ કરતો મીત્ર સાથે લોન ડોકયુમેન્ટ બાબતે વાત-ચીત કર્યો બાદ અંતિમ પગલું ભરી લીધું યુવાન અને આશાસ્પદ પુત્રના મોતથી પરીવારમાં કાળો કલ્પાંત છવાયો હતો.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.