સુરેન્દ્રનગરમાં ફરી લાલ બસ દોડશે 32 સીએનજી બસ માટે રૂ.20,44 કરોડ મંજૂર કર્યા. - At This Time

સુરેન્દ્રનગરમાં ફરી લાલ બસ દોડશે 32 સીએનજી બસ માટે રૂ.20,44 કરોડ મંજૂર કર્યા.


સુરેન્દ્રનગર વઢવાણ દુધરેજ સંયુક્ત પાલિકાએ 8 જુલાઈએ કરેલી બીજી વારની દરખાસ્ત સરકારે મંજૂર કરી અગાઉ 2018 માં કરી હતી સુરેન્દ્રનગર વઢવાણમાં ટૂંક સમયમાં સીટી બસ દોડશે સંયુક્ત પાલિકાની દરખાસ્તને રાજ્ય સરકારે મંજૂરી આપી છે અને ગુરુવારે મુખ્યમંત્રીએ 32 મિનિ સીએનજી બસ માટે રૂ.20,44 કરોડ ફાળવાની જાહેરાત કરી છે સંયુક્ત પાલિકા સીટી બસનો ખર્ચ ભોગવી શકે તેમ ન હોય પીપીપી ધોરણે સીટી બસ ચાલુ કરવા માટે દરખાસ્ત તૈયાર કરી હતી અને આઠ જુલાઈએ સરકારને પ્રોજેક્ટ રિપોર્ટ મોકલ્યો હતો જેમાં મેક્સન ફાઉન્ડેશન ટ્રસ્ટે સીટી બસ ચાલુ કરવા માટે તૈયારી બતાવી હતી જેમાં વિદ્યાર્થીઓ માટે પાસની સગવડની સગવડતા દર્શાવવામાં આવી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.