182 બેઠક જીતવી અઘરી પણ અશક્ય નહીં: વજુભાઈ વાળા
ગુજરાત વિધાનસભાની ચૂંટણી હવે નજીકમાં છે જેને લઈને રાજકીય પાર્ટીઓ તૈયારીઓ કરી રહી છે. ત્યારે દિગ્ગજ નેતા વજુભાઈ વાળાએ ચૂંટણીને લઈને મહત્વનું નિવેદન આપ્યું. ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીકમાં છે રાજકીય પક્ષોએ બેઠકો મેળવવા માટે બેઠકોનો ધમધમાટ શરૂ કરી દીધો છે. આ વખતે ગુજરાતમાં મોટો જંગ ખેલવાનો છે જેને લઈને રાજકીય પાર્ટીઓ અત્યારથી જ એક્ટિવ મોડમાં જોવા મળી રહી છે ભાજપના દિગ્ગજ નેતાઓ દ્વારા વિકાસના કાર્યોનું લોકા પર્ણ કરવામાં આવી રહ્યું છે તો આ તરફ કોંગ્રેસ દ્વારા ઝોન પ્રમાણે બેઠકોનો ધમધમાટ શરૂ કરાયો છે ત્યારે આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હી સીએમ અરવિંદ કેજરીવાલ દર અઠવાડિયે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. ત્યારે ચૂંટણીને લઈને આ બધું જોતા ભાજપના દિગ્ગજ નેતા વજુભાઈ વાળાએ મહત્વનું નિવેદન આપ્યું. તેઓએ જણાવ્યું કે ગુજરાતમાં ભાજપ માટે 182 બેઠક મેળવવી અઘરી કરી પણ શક્ય છે. કોઈપણ કાર્ય પાછળ મહેનત કરીએ તો ધાર્યું પરિણામ મળે જ છે. ગુજરાતમાં ત્રીજો રાજકીય પક્ષ આપ મુદ્દે પ્રહાર કરતાં જણાવ્યું કે ત્રીજો,ચોથો કે પાંચમો પક્ષ આવે પણ આવશે તો ભાજપ જ.મહત્વનું છે કે રાજકોટમાં જન્માષ્ટમીની શોભાયાત્રા પૂર્વે ધર્મ સભા યોજાઈ હતી જેમાં વજુભાઈ વાળા હાજર રહ્યા હતા આ પ્રસંગે તેઓએ મીડિયા સાથે વાત કરતા આ નિવેદન આપ્યું હતું
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.