આણંદમાં દિનદયાલ ઉપાધ્યાય કોમ્પ્લેક્ષના વીજ મીટરમાં આગ લાગી, સદનસીબે જાનહાનિ ટળી - At This Time

આણંદમાં દિનદયાલ ઉપાધ્યાય કોમ્પ્લેક્ષના વીજ મીટરમાં આગ લાગી, સદનસીબે જાનહાનિ ટળી


આણંદમાં ઉપાધ્યાય કોમ્પ્લેક્ષના લગાવાયેલા વીજમીટરમાં આજરોજ સવારના સમયે એકાએક આગ લાગતાં અફરાતફરી મચી હતી. જોકે, ફાયરબ્રિગેડની ટીમે તુરંત જ સ્થળ પર પહોંચી, આગ પર કાબૂ મેળવ્યો છે. આણંદમાં નગરપાલિકાની સામે દીનદયાલ ઉપાધ્યાય કોમ્પલેક્ષ આવેલું છે. આ કોમ્પ્લેક્ષમાં આવેલ અંબિકા પેટીસ નામની દુકાનની બાજુમાં લગાવેલ ઇલેક્ટ્રીક મીટરમાં આજરોજ સવારના સમયે એકાએક આગ લાગી હતી. જેથી તુરંત જ આ અંગેની જાણ આણંદ ફાયરબ્રિગેડને કરવામાં આવી હતી. ફાયર ઓફિસર ધર્મેશ ગોર ના સૂચના થી ફાયર ફાઈટર સહદેવસિંહ રાઠોડ, નરેન્દ્ર પંડ્યા, ભાવેશ વરું, હીંમત ભુરીયા, કૃષ્ણરાજ રાઉલજી સહિતની ટીમ તુરંત જ ઘટનાસ્થળે પહોંચી હતી અને ફાયર એક્ષ્ટીંગ્યુશર વડે આગ પર કાબૂ મેળવ્યો હતો. સદનસીબે આગની આ ઘટનામાં કોઈ જાનહાની થયેલ નથી.


9409516488
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.