સગીરાનું અપહરણ-દુષ્કર્મના કેસમાં આરોપીને છેલ્લા શ્વાસ સુધીની સજા - At This Time

સગીરાનું અપહરણ-દુષ્કર્મના કેસમાં આરોપીને છેલ્લા શ્વાસ સુધીની સજા


માધાપર નજીકથી સગીરાને મોરબી લઇ જઇ શરીરસંબંધ બાંધ્યો’તો

રાજકોટની સગીરાનું 2018ની સાલમાં અપહરણ કરી દુષ્કર્મ આચરવાના ગુનામાં જેલહવાલે રહેલા આરોપી સામેનો કેસ ચાલી જતા અદાલતે છેલ્લા શ્વાસ સુધી આજીવન કેદની સજા અને રૂ.52 હજાર દંડનો હુકમ કર્યો છે અને દંડની રકમમાંથી 50 ટકા રકમ ભોગ બનનારને ચૂકવવા આદેશ કર્યો છે. રાજકોટના માધાપર નજીક રહેતા પરિવારની 15 વર્ષની સગીર પુત્રીનું અપહરણ થયાની ફરિયાદ તા.10-12-2018ના રોજ પ્ર.નગર પોલીસ મથકમાં નોંધાઇ હતી. ત્યારબાદ પોલીસ તપાસમાં ધ્રોલ તાલુકાના ફતેહપુરાના મોહસીન રહીમ મકવાણાએ સગીરાનું અપહરણ કર્યાનું ખુલ્યું હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.