સરકારે એગ્રોફેડ મારફતે મામુલી રકમ થી ખેડૂત પાસે ડુંગળી ખરીદી ના બે માસ કરતા વધુ સમય થવા છતાં નાણાં નહિ ચૂકવતા ઠુંમર ની મુખ્ય મંત્રી ને રજુઆત - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/4xxf11myjavln1af/" left="-10"]

સરકારે એગ્રોફેડ મારફતે મામુલી રકમ થી ખેડૂત પાસે ડુંગળી ખરીદી ના બે માસ કરતા વધુ સમય થવા છતાં નાણાં નહિ ચૂકવતા ઠુંમર ની મુખ્ય મંત્રી ને રજુઆત


સરકારે એગ્રોફેડ મારફતે મામુલી રકમ થી ખેડૂત પાસે ડુંગળી ખરીદી ના બે માસ કરતા વધુ સમય થવા છતાં નાણાં નહિ ચૂકવતા ઠુંમર ની મુખ્ય મંત્રી ને રજુઆત

અમરેલી પૂર્વ સાંસદ વિરજીભાઈ ઠુંમરે રાજ્ય ના મુખ્ય મંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ પત્ર પાઠવી સરકાર દ્વારા ખેડુતો પાસેથી લાલ ડુંગળી ખરીદી કર્યા બાદ પેમેન્ટ નહીં ચુકવાત રજુઆત ડીસેમ્બર માં ૨૫-૩૦ રૂપિયા જેવા પોષણક્ષમ ભાવ મળતા હતા,જે ૮ ડીસેમ્બર ૨૦૨૩ માં ખેડુતોને ૧ કિલો ડુંગળી ના ૨૦૨૩ ના રોજ સરકાર દ્વારા કરવામાં આવેલ નિકાસબંધી ના કારણે જાન્યુઆરી - ૨૦૨૪ માં ડુંગળી ના બજાર ભાવ ખેડુતોની પડતર કિંમત કરતાં પણ નીચા એટલે કે ૧ કિલો ના ૧૦-૧૧ રૂપિયા માં ખેડુતો વેચવા માટે મજબુર બન્યા હતાં, સરકારે પણ ખેડુતોની ડુંગળી ૧૦-૧૧ રૂપિયા જેવા નીચા ભાવથી ખરીદી કરેલ.જાન્યુઆરી-ફેબ્રુઆરી મહીનામાં અમરેલી જિલ્લાના ખાંભા તાલુકામાં માર્કેટીંગ યાર્ડ ખાંભા ખાતે સરકારે "શાંભવી એગ્રોફેડ" નામની સંસ્થા મારફતે હજારો ખેડુતો પાસેથી ખેડુતોની પડતર કિંમત કરતા પણ નીચા ભાવ એટલે કે ૧૦-૧૧ રૂપિયા પ્રતિ કિલો ના ભાવથી ડુંગળીની ખરીદી કરી હતી. ડુંગળી ની ખરીદી કર્યા ના ૬૦-૭૦ દિવસ બાદ આજે પણ હજારો ખેડુતોને નાણા ચુકવવામાં આવ્યા નથી, જેનાં કારણે ખેડુતો મુશ્કેલીમાં મુકાયા છે. તો આ બાબતે આપના લેવલેથી આગળની તાત્કાલીક જરૂરી કાર્યવાહી કરી ખેડુતોને તેમનાં નાણા સત્વરે ચુકવાય તેવી આ પત્રથી રજુઆત કરી રહ્યો છું.

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]