હળવદ ના નવા ઘનશ્યામગઢ ગામે સ્વૈચ્છિક રક્તદાન કેમ્પ યોજાયો - At This Time

હળવદ ના નવા ઘનશ્યામગઢ ગામે સ્વૈચ્છિક રક્તદાન કેમ્પ યોજાયો


સ્વ.બચુભાઈ જાદવજીભાઈ ગોપાણી ની પુણ્ય સ્મૃતિ નિમિત્તે આયોજન કરવામાં આવ્યું

આજરોજ હળવદ તાલુકા ના નવા ઘનશ્યામગઢ ગામે સ્વ.બચુભાઈ જાદવજી ભાઈ ગોપાણી ની પુણ્ય સ્મૃતિ માં સ્વૈચ્છિક રક્તદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પ ડૉ દિલીપ ગોપાણી (ડૉ ગોપાણી હોસ્પિટલ મોરબી) ની પ્રેરણા થી સમસ્ત ગોપાણી પરિવાર દ્વારા આયોજિત કેમ્પ માં 85 બ્લડ ની બોટલ એકત્ર કરવામાં આવી હતી જે બ્લડ ની બોટલ શ્રી બ્લડ બેંક મોરબી (નાથાણી બ્લડ બેંક મોરબી) ખાતે બ્લડ ની જરૂર છે તેવા દર્દીઓ માટે ઉપયોગ માં લેવા માં આવશે સ્વ.બચુભાઈ ગોપાણી 85 વર્ષ ની ઉંમરે અવસાન થતાં તેમની સ્મૃતિ માં તેમના સ્વજનો દ્વારા 85 બ્લડ ની બોટલ ડોનેટ કરી સેવાકીય કાર્ય થકી સદગત ને શ્રદ્ધાંજલી અર્પણ કરી હતી

આ કેમ્પ ને સફળ બનાવવા ગોપાણી પરિવાર તેમજ નવા ઘનશ્યામ ગઢ ગામ ના સેવાભાવી લોકો એ ભારે જહેમત ઉઠાવી હતી

રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.