મહિસાગર : સંતરામપુર નગરમાં મુસ્લિમ સમાજ દ્વારા ઇદે મિલાદ ની શાંતિ પૂવર્ક ઉજવણી કરવામાં આવી . - At This Time

મહિસાગર : સંતરામપુર નગરમાં મુસ્લિમ સમાજ દ્વારા ઇદે મિલાદ ની શાંતિ પૂવર્ક ઉજવણી કરવામાં આવી .


સંતરામપુરમાં નગરમાં મુસ્લિમ સમાજ દ્વારા ઇદે મિલાદ ની શાંતિ પૂવર્ક ઉજવણી કરવામાં આવી.

સંતરામપુર તાલુકામાં ઇદે મિલાદ તહેવાર નિમિત્તે હજરત મોહમ્મદ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ ના જન્મ દિવસ નિમિત્તે સંતરામપુર મુસ્લિમ સમાજ દ્વારા જુલૂસ કાઢી ઉત્સાહભેર રંગે ચંગે ઉજવણી કરવામાં આવી હતી.
જેમાં મુસ્લિમ બિરાદરો દ્વારા ઇદે મિલાદ નિમિત્તે વહેલી સવારથી જ સંતરામપુર નગરના વિવિધ માર્ગો ઉપર જુલૂસ કાઢવામાં આવ્યુ હતું જેમાં આ જુલુસ મોટી મસ્જિદ થી લઇ , મર્કસ મસ્જિદ, સિભાઇ ચોકડી, પોલીસ સ્ટેશન વિસ્તાર, ભોઈવાડા વિસ્તાર, બસ સ્ટેશન ચોકડી ચાર રસ્તા વિસ્તાર થઈ જુમ્મા મસ્જિદ ખાતે સમાપ્ત કરવામાં આવ્યું હતું.
ત્યારબાદ સંતરામપુર જુમ્મા મસ્જીદના પેશ ઇમામ હજરત મોહમ્મદ ફઇમ રજા દ્વારા અલ્લાહની દરગાહમાં દુવાઓ કરવામાં આવી હતી.

તેમજ મુસ્લિમ બિરાદરોએ ઇદે મિલાદ તહેવાર નિમિત્તે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર તેમજ મહીસાગર જિલ્લાના તથા સંતરામપુર તાલુકાના તમામ વહીવટી અઘિકારીઓ તથા સ્ટાફ તેમજ હિન્દુ , મુસ્લિમ ભાઈઓ બહેનો ને ઇદે મિલાદ તહેવાર નિમિત્તે દિલ થી શુભેચ્છાઓ પાઠવી હતી.

સંતરામપુર પોલીસ સ્ટેશનના ઇન્સ્પેકટર એમ.બી.મછાર પી.એસ.આઈ. કલાસવા શ્રી દ્વારા સ્ટાફ સાથે ઇદે મિલાદ તહેવાર નિમિત્તે સંતરામપુર વિવિઘ વિસ્તાર માં ખડે પગે ઉભા રહી બંદોબસ્ત ગોઠવી સાથ સહકાર આપ્યો હતો તે બદલ તેમનો પણ મુસ્લિમ સમાજે આભાર વ્યક્ત કર્યો હતો.

રિપોર્ટર અરવિંદભાઈ ખાંટ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.