જીંદગીથી કંટાળેલા આધેડે રૈયા ચોકડી ઓવરબ્રીજ પરથી પડતું મુક્યું - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/2nbjfa2ul3i6zz0q/" left="-10"]

જીંદગીથી કંટાળેલા આધેડે રૈયા ચોકડી ઓવરબ્રીજ પરથી પડતું મુક્યું


રૈયા ચોકડી ઓવરબ્રીજ પરથી જીંદગીથી કંટાળેલા રમેશભાઈ રાઠોડ નામના આધેડે પડતુ મુકી આપઘાતનો પ્રયાસ કરતા સારવારમાં ખસેડાયા હતા. બનાવની વિગત અનુસાર કુવાડવા રોડ પર રોહીદાસપરા-2માં રહેતા રમેશભાઈ સોમાભાઈ રાઠોડ (ઉ.વ.50)ગત રોજ સાંજે સાત વાગ્યે રૈયા ચોકડી પાસે આવેલ ઓવરબ્રીજ પર હતા ત્યારે ત્યાંથી જમ્પ લગાવી આપઘાતનો પ્રયાસ કરતા શરીરે ગંભીર ઇજા પહોંચી હતી જેને એકઠા થયેલ લોકોએ 108 મારફતે સારવારમાં સીવીલ હોસ્પીટલે ખસેડાયા હતા. બનાવ અંગે સીવીલ ચોકીના સ્ટાફે ગાંધીગ્રામ પોલીસને જાણ કરી હતી. વધુમાં પોલીસે જણાવ્યું હતું કે આપઘાતનો પ્રયાસ કરનાર રમેશભાઈ લાદી કામ કરે છે અને ઘણા સમયથી ગમગીન રહેતા હતા અને જીંદગીથી કંટાળી પગલુ ભર્યાનું સામે આવ્યું હતું. તેને સંતાનમાં એક પુત્ર-પુત્રી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]