કાલે જસદણનીયન્સ આન બાન શાનથી ત્રિરંગો લહેરાવશે: હરિભાઈ પટેલએ શુભેચ્છા પાઠવી - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/1yezr81osfob7ehb/" left="-10"]

કાલે જસદણનીયન્સ આન બાન શાનથી ત્રિરંગો લહેરાવશે: હરિભાઈ પટેલએ શુભેચ્છા પાઠવી


કાલે જસદણનીયન્સ આન બાન શાનથી ત્રિરંગો લહેરાવશે: હરિભાઈ પટેલએ શુભેચ્છા પાઠવી

સોમવારે સ્‍વાતંત્રય પર્વ હોય ચોમેર દેશભક્‍તિનો માહોલ છવાયો છે. ભારતની આઝાદીના ૭૫ વર્ષના રૂપમાં આ વર્ષે આઝાદીના અમૃત મહોત્‍સવની પણ ઉજવણી ચાલી રહી હોય જન જનના હૈયે ઉમંગ બેવડાયો છે.
સોમવારે આન બાન અને શાનભેર તિરંગાને સલામી અપાશે. અદબભેર સલામી આપી રાષ્‍ટ્રગીતનું ગાન ગવાશે. ત્‍યારે જસદણમાં પણ વિવિધ શાળા કોલેજો અને સંસ્‍થાઓ દ્વારા ધ્‍વજ વંદન તેમજ દેશભક્‍તિસભર સાંસ્‍કૃતિક કાર્યક્રમોનું આયોજન થયુ છે. આ આઝાદી ઉત્સવની જસદણના સમાજસેવક પટેલ હરિભાઈ વેલજીભાઈ હીરપરાએ સર્વે નાગરિકોને શુભેચ્છા પાઠવી જણાવ્યું હતું કે કાલે ગુજરાતના સેવાભાવી લોકોને વિશિષ્ઠ સેવા મેડલથી નવાઝવામાં આવશે ત્યારે તે અંગે પણ અભિનંદન અને શુભકામના પાઠવી હતી.

રિપોર્ટ હુસામુદ્દીન કપાસી જસદણ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]