ઉમરાળા તાલુકામાં મીઠાઈ ફરસાણના ભાવ નિયત કરતા મામલતદાર પ્રશાંત ભીંડી - At This Time

ઉમરાળા તાલુકામાં મીઠાઈ ફરસાણના ભાવ નિયત કરતા મામલતદાર પ્રશાંત ભીંડી


ઉમરાળા મામલતદાર કચેરી ખાતે મામલતદાર પ્રશાંતકુમાર ભીંડી ના અધ્યક્ષ સ્થાને આગામી દિવાળી તહેવાર અનુસંધાને સમગ્ર તાલુકાના મિઠાઈ ફરસાણના વેપારી એસોસિયેશન સાથે બેઠક યોજવામાં આવી મામલતદાર દ્વારા મીઠાઈ અને ફરસાણના વેપારીઓને જણાવ્યું હતુ કે આગામી દિવાળી તહેવારોને ધ્યાનમાં લઇ તાલુકાના તમામ મિઠાઈ ફરસાણના વેપારીઓ ગરીબ અને મધ્યમવર્ગના લોકોને રાહતદરે મિઠાઈ અને ફરસાણ મળી રહે અને ગરીબો અને મધ્યમવર્ગના લોકો પણ ખુશીથી દિવાળી તહેવારોની ઉજવણી કરી શકે માટે મામલતદાર પ્રશાંતકુમાર ભીંડી અને વેપારીઓ દ્વારા સર્વાનુમતે મીઠાઈ અને ફરસાણના વ્યાજબી ભાવો નિયત કરવામાં આવ્યા હતા

રીપોર્ટ નિલેષ ઢીલા ઉમરાળા


+1919825372002
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.