અનુસુચિતજાતિના ઉમેદવારો માટે જિલ્લામાં ૭ દિવસ માટે યોગ સેમિનાર - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/1ileyldpfxhwuij1/" left="-10"]

અનુસુચિતજાતિના ઉમેદવારો માટે જિલ્લામાં ૭ દિવસ માટે યોગ સેમિનાર


ગાંધીનગર દ્વારા રાજય ના તમામ જિલ્લાઓમા અનુસુચિત જાતિની વધુ વસ્તી ધરાવતા એક તાલુકા મથક ખાતે ૭ દિવસના યોગ સેમિનારનું આયોજન વિનામુલ્યે હાથ ધરવામાં આવનાર છે. યોગમાં રસ ધરાવતા અનુસુચિતજાતિના ઉમેદવારોએ જિલ્લા રમત વિકાસ અધિકારીના મોબાઈલ નં ૯૬૩૮૬૬૮૫૬૬ ઉપર સંપર્ક કરીને યોગ સેમિનાર માટેના પ્રવેશપત્ર મેળવીને તેમાં સંપૂર્ણ વિગતો ભરીને તા. ૦૮-૦૭-૨૦૨૨  સુધીમાં રૂમ નં-૩ પ્રથમ માળ, અંબા માતાજી મંદિર ટ્રસ્ટ, શહેરા દરવાજા પાસે નગરપાલિકા કૉમ્યુનિટી હૉલ પાસે, લુણાવાડા, મહીસાગર ખાતે રૂબરૂ અથવા ટપાલ મારફતે મોકલી આપવાના રહેશે. પસંદ થયેલ ઉમેદવારોને જિલ્લા રમત વિકાસ અધિકારી દ્વારા યોગ સેમિનાર અંગેની જાણ કરવામાં આવશે.જે જિલ્લા રમત વિકાસ અધિકારી ની અખબારી જણાવેલ હતુ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]