સાવરકુંડલા - ધામેલ પરા બંધ કરાયેલ બસને શરૂ કરવાની ઉઠેલ માંગ - At This Time

સાવરકુંડલા – ધામેલ પરા બંધ કરાયેલ બસને શરૂ કરવાની ઉઠેલ માંગ


સાવરકુંડલા - ધામેલ પરા બંધ કરાયેલ બસને શરૂ કરવાની ઉઠેલ માંગ. અમરેલી એસ.ટી.વિભાગ માં આવતા સાવરકુંડલા ડેપોની સાવરકુંડલા - દામનગર, ધામેલ પરા લોકલ બસને કોરોનામાં લોક ડાઉન થી બંધ કરી દેવાઈ છે,જે આજ સુધી તંત્રના અણઘડ વહીવટ થી શરૂ કરવામાં આવી નથી. વર્સો જૂના આ રૂટમાં સાવકુંડલા થી સાંજના ૫-૧૫ કલાકે ઉપાડી વાયા - સાવર, ભુવા,નાના લીલીયા પાટીયું, પુંજાપાદર,મોટા લીલીયા, સનાળિયા,ખારા, ઢાંગલા,ગુંદરણ,એકલેરા, ઈંગોરાળા, હાવતડ, દામનગર,હજીરાધાર, ધામેલ થી ધામેલ પરા રાત્રે ૮ વાગે પહોંચી રાત્રી રોકાણ કરી, વહેલી સવારે ૫ કલાકે ઉપાડી આજ રૂટ પરથી ચલાવી , રત્નકલાકારો,વેપારી મિત્રો અને સામાજિક કામો માટે એકજ જિલ્લાના ત્રણ તાલુકાના ગામડાના લોકો ને ખુબજ ઉપયોગી અને સારી આવક મળવતી આ બસ સવારના ૭-૪૫ કલાકે સાવરકુંડલા પહોચતી.તેને કોઈને કોઈ બહાના આગળ ધરીને શરૂ કરવામાં આવી નથી. આ રૂટ શરૂ કરવા મુસાફરો વતી દામનગરના અતુલ શુક્લે સાવરકુંડલા ડેપો મેનેજર અને અમરેલી વિભાગીય નિયામક ને રજુઆત કરી છે. લાઠી એની સાવરકુંડલાના ધારાસભ્ય આ રૂટને શરૂ કરવા તેમની કક્ષાએ થી યોગ્ય રજુઆત કરે તે જરૂરી છે. જરૂરિયાત મુજબ લોકોની માંગને સંતોષવામાં આવે તે પણ આવશ્યક છે.( અતુલ શુક્લ દામનગર અમરેલી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.