પાંજરાપોળ પાસે કોળી યુવકનો ગળે ફાંસો લગાવી આપઘાત - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/0sjfrlslhirug6fg/" left="-10"]

પાંજરાપોળ પાસે કોળી યુવકનો ગળે ફાંસો લગાવી આપઘાત


પાંજરાપોળ નજીક મેલડી માતાજીના મંદીર પાસે રહેતા હિતેષ ભરતભાઇ ઉદેકીયા (ઉ.26) ગત રોજ પોતાના ઘરે લાકડાની આડીમાં ચુંદડી બાંધી ગળે ફાંસો ખાઇ આપઘાત કરી લેતા પરીવારમાં અરેરાટી વ્યાપી ગઇ હતી. બનાવની જાણ થતા બી ડીવીઝન પોલીસનો સ્ટાફ દોડી ગયો હતો. જરૂરી કાગળ કાર્યવાહી કરી મૃતદેહને પીએમમાં સીવીલે ખસેડી આપઘાતનું કારણ જાણવા પરીવારની પુછપરછ હાથ ધરી હતી. વધુમાં પોલીસે જણાવ્યું હતું કે, મૃતક હિતેષ ઇમીટેશન મજુરી કામ કરતો હતો અને ત્રણ ભાઇમાં વચ્ચે અને અપરિણીત હતો તેને કયાં કારણે અંતીમ પગલું ભર્યુ તેનાથી પરીવાર પણ અજાણ હોવાનું રટણ કર્યુ હતું. બનાવથી પરીવાર પર આભ તુટી પડતા આક્રંદ મચાવ્યો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]