ગુરુવારના સ્વાતંત્ર્ય દિન અને વસંત પંચમી પર્વ હોવાથી બપોર પછી ૩-૩૦થી ૫-૩૦ દરમ્યાન
તા.૨૬-૧-૨૦૨૩ ગુરુવારના સ્વાતંત્ર્ય દિન અને વસંત પંચમી પર્વ હોવાથી બપોર પછી ૩-૩૦થી ૫-૩૦ દરમ્યાન માંસરસ્વતીના પ્રાગટ્ય દિવસ તેમજ અખિલ વિશ્વ ગાયત્રી પરિવારના આધ્ય સંસ્થાપક પં.શ્રીરામ શર્મા આચાર્યજીના આધ્યાત્મિક જ્ઞાન પ્રાપ્તિના જન્મદિવસની ઊજવણી નિમિત્તે ગાયત્રી મહાદિપ યજ્ઞ દ્વારા સરસ્વતી પૂજા,કલમ- પેન પૂજા,સંગીત વાદ્યોની પૂજા સરસ્વતી મંત્રો,ગાયત્રી મંત્રોના મંત્રોચ્ચાર સાથે સીનીયર સીટીઝનો,ગાયત્રી પરિજનો નારણપુરા,લાયન્સ ક્લબ ઓફ અમદાવાદ જોધપુર હીલના સભ્યો,વિધ્યાર્થી-વાલીઓએ મળી અભ્યાસ કરતા જેમાં વિશેષ ધો.૧૦-૧૨ના વિદ્યાર્થીઓ પરીક્ષામાં સફળતા પ્રાપ્ત કરે અને સૌને સદબુદ્ધિ,ઉજ્જવળ ભવિષ્ય નિરામય જીવન તથા જ્ઞાન- વિદ્યાની પ્રાપ્તિ થાય તેવા શુભ હેતુથી દિપ પ્રગટાવીને પ્રાર્થના વાત્સલ્ય સીનીયર સીટીઝન હોમ,રેડ ક્રોસ,વાડજ ખાતે કરવા આવી હતી મુખ્ય મહેમાન આશાબેન બ્રહ્મભટ્ટ અ.મ્યુ.કાન્સીલર નવરંગપુરા,અતિથિ વિશેષ રાહી રાઠોર,ઍક્યુપ્રેશર થેરાપીસ્ટ રશ્મિકાંત દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.