ભાલકા કૃષ્ણ ભગવાન મંદિર માં ભવ્ય પતંગ મહોત્સવ યોજાયો* *હજારો સ્થાનીકો,યાત્રીકો ને પતંગ,દોરો પ્રસાદી અપાય* - At This Time

ભાલકા કૃષ્ણ ભગવાન મંદિર માં ભવ્ય પતંગ મહોત્સવ યોજાયો* *હજારો સ્થાનીકો,યાત્રીકો ને પતંગ,દોરો પ્રસાદી અપાય*


*ભાલકા કૃષ્ણ ભગવાન મંદિર માં ભવ્ય પતંગ મહોત્સવ યોજાયો*

*હજારો સ્થાનીકો,યાત્રીકો ને પતંગ,દોરો પ્રસાદી અપાય*

ભાલકા કૃષ્ણ ભગવાન ના મંદિર પરીષર માં મકરસંક્રાતિ ના દિવસે ભવ્ય પતંગ મહોત્સવ યોજાયેલ હતો તેમાં ભાલકા, તાલાલા નાકા,ભીડીયા, સોમનાથ,વેરાવળ તમજ આજુ બાજુ વિસ્તારના પરીવારો તેમજ મોટી સંખ્યા માં દેશ વિદેશ થી આવેલા યાત્રીકો ઉમટી પડેલ હતા રંગબેરંગી પતંગો થી આકાશ ભરાઈ ગયેલ હતું

ભાલકા મંદિરેના પરીષર માં શ્રી સોમનાથ ટ્રસ્ટ ના સહકાર થી ગીર સોમનાથ મીડીયા સેન્ટર ડી.કે.ગ્રુપ દીપક કકકડ તેમજ આગેવાનો દ્વારા ભવ્ય પતંગ મહોત્સવનું આયોજન થયેલ હતું આ વર્ષે દેશ વિદેશ થી આવેલા હજારો ની સંખ્યામાં યાત્રીકોએ પણ આટલો મોટો પતંગ મહોત્સવ ભાલકા મંદિરે યોજાયેલ હતો તેમાં હજારો સ્થાનીકો યાત્રીકો જોડાયેલ હતા

પતંગ મહોત્સવ અનેક ના સહકાર થી યોજાયેલ હતો જેમાં અનેક વિસ્તારના મોટી સંખ્યામાં પરીવારો દેશ વિદેશી થી ઉમટી પડેલા યાત્રીકો થી પરીષર ભરાઈ ગયેલ હતી રંગેબેરંગી પતંગો થી આકાશ અનેક રંગોમાં દેખાતું હતું આખું ગ્રાઉન્ડ માનવ મહેરામણ થી ભરાયેલ હતું અને જાણેકે પરીષર કોઈ મોટા શહેર માં આવેલી હોય તે રીતે કાયપો છે એક ગઈ સહીત ની અવાજો આવતા હતા સાથે સાથે ભુગળાઓ વાગતા હતા.

વિશ્વ નું આ પ્રસીધ્ધ યાત્રાધામ ભાલકા મંદિર માં આટલો મોટો પતંગ ઉત્સવ યોજાય છે જેમાં આટલી મોટી સંખ્યામાં સ્થાનીક તથા યાત્રીકો ઉમટી પડેલ છે તે માટી ધટના છે આ પતંગ મહોત્સવ ને બિરદાવેલ હતો

દેશ વિદેશ થી આવેલા યાત્રીકોએ પ્રતિભાવો આપેલ હતા કે અમા દર વર્ષે અમારા શહેર માં પતંગ ઉડાવવાનો આનંદ લઈએ છીએ પણ ભાલકા માં આટલું મોટું આયોજન થયેલ હોય તેથી કષ્ણ ભગવાન ના સાંનીધ્યમાં, પતંગ ઉડાવવાનો આનંદ મેળવેલ છે કયારેય ભુલાશે નહી.

આ પતંગ મહોત્સવ માં હજારો લોકો ઉમટી પડેલ હતા તેને પતંગ,દોરા,ખીચડો,ચીકી, ચોકલેટ, ચીકુ, બોર, જામફળ,શેરડી,ભુગળા સહીત અનેક વસ્તુઓ પ્રસાદીમાં અપાયેલ હતી.

આ પતંગ મહોત્સવ માં સોમનાથ ટ્રસ્ટ ના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા અધિકારીઓ અજય દુબે,સુરૂભા જાડેજા,જીતુપુરી ગાસ્વામી,વિકૂમ ચાવડા,જીલ્લા પચાયત શિક્ષણ સમીતી ના ચેરમેન વિકૂમભાઈ પટાટ,હાડી સમાજ અધ્યક્ષ અમૃતાબેન અખીયા,ઉદ્યોગપતિ ધનસુખ પીઠડ તેમજ લંડન થી ભાગવત કથાકાર પીયુષભાઈ મહેતા તેની સાથે અભય મહેતા સહીત ગીર સોમનાથ જીલ્લા ના અનેક આગેવાનો ઉપસ્થિત રહેલ હતા.

પતંગ ઉત્સવ ભવ્ય રીતે ઉજવાય તે માટે પુર્વ મંત્રી જશાભાઈ બારડ, ભાજપ સંગઠન મંત્રી ઝવેરીભાઈ ઠકરાર,ગીર સોમનાથ જીલ્લા પંચાયત વિરોધપક્ષ ના નેતા અભય હીરાભાઈ જોટવા,દીલીપભાઈ બારડ ધનસુખ ભાઈ પીઠળ,અશોકભાઈ પરમાર,મીત રોહનભાઈ વૈદ્ય દ્વારા સહકાર આપેલ હતો.

આ કાર્યકમ ને સફળ બનાવવા માટે ગીરસોમનાથ મીડીયા સેન્ટર ડી.કે. ગ્રુપ ના દીપકભાઈ કકકડ,કેટરીગ એસો.ના પ્રમુખ મિલનજોષી, મોટા કોળી વાડા ના આગેવાન રામભાઈ સોલંકી ,ગુજરાત વાડોકાય ના પ્રમુખ પ્રવિણ ચૌહાણ,લોહાણા સમાજ અગ્રણી વિપુલ રાજા,એ જહેમત ઉઠાવી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.