રાજકોટમાં બાળકી સાથે થયેલાં કૃત્યને લઈને રેલી યોજાઈ, AAPએ કહ્યું- કાળા કારોબાર સામે પગલાં લેવાથી ઘટનાઓ બનતી રોકી શકાય - At This Time

રાજકોટમાં બાળકી સાથે થયેલાં કૃત્યને લઈને રેલી યોજાઈ, AAPએ કહ્યું- કાળા કારોબાર સામે પગલાં લેવાથી ઘટનાઓ બનતી રોકી શકાય


તાજેતરમાં રાજકોટમાં એક 8 વર્ષની માસુમ બાળકી સાથે ગેંગરેપ બાદ હત્યા કરવામાં આવી હતી. જેને લઈને ઠેર-ઠેર ભારે રોષની લાગણી જોવા મળી રહી છે, ત્યારે આજે આમ આદમી પાર્ટી દ્વારા આ મામલે રેલી યોજી પોલીસ કમિશનરને આવેદન પાઠવી રજૂઆત કરવામાં આવી હતી. જેમાં આવી ઘટનાઓ માટે નશાનો કાળો કારોબાર બંધ કરાવવા માંગ કરવામાં આવી હતી. આપ પ્રદેશ સંગઠન મંત્રી કહ્યું હતું કે, સામાન્ય વ્યક્તિ પણ જાણે છે કે, ક્યાંથી આ પ્રકારની નશાની વસ્તુઓ મળે છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.