બરવાળા તાલુકામાં ભીમનાથ પ્રાથમિક શાળા ખાતે ખાલી પડેલી કેન્દ્ર સંચાલકની જગ્યા ભરવા મામલતદાર કચેરી દ્વારા અરજીઓ મંગાવાઈ - At This Time

બરવાળા તાલુકામાં ભીમનાથ પ્રાથમિક શાળા ખાતે ખાલી પડેલી કેન્દ્ર સંચાલકની જગ્યા ભરવા મામલતદાર કચેરી દ્વારા અરજીઓ મંગાવાઈ


બરવાળા તાલુકામાં ભીમનાથ (કેન્દ્ર નંબર-૦૫) પ્રાથમિક શાળા ખાતે મધ્યાહન ભોજન યોજના અંતર્ગત ચાલતા કેન્દ્રમાં ખાલી પડતી કેન્દ્ર સંચાલકની જગ્યા ભરવાની થાય છે. તા.૨૬/૦૯/૨૦૨૩ થી તા.૧૨/૧૦/૨૦૨૩ સુધીમાં નિયત નમુનાનું અરજી ફોર્મ મધ્યાહન ભોજન યોજના શાખા, મામલતદાર કચેરી, બરવાળા ખાતેથી કચેરી સમય દરમ્યાન જાહેર રજાના દિવસો સિવાય વિનામૂલ્યે વિતરણ કરવામાં આવશે તેમજ સ્વીકારવામાં આવશે.

ઉપરોક્ત ભરવાની થતી જગ્યા માટે લઘુતમ વયમર્યાદા-૨૦ વર્ષ અને મહત્તમ વય મર્યાદા-૬૦ વર્ષની નક્કી કરવામાં આવેલ છે.તેમજ શૈક્ષણિક લાયકાત ધોરણ– ૧૦ પાસ કે તેથી વધુની રહેશે.સરકારના ઠરાવ મુજબ અગ્રતાક્રમ મુજબ નિમણૂંક આપવામાં આવશે તેમ, મામલતદાર,બરવાળાની અખબારી યાદીમાં જણાવાયું છે.

બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા

મો:૮૦૦૦૮૩૪૮૮૮


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.