તું દીકરાની સંભાળ નથી રાખતી કહીં પરિણીતા પર પતિનો ત્રાસ - At This Time

તું દીકરાની સંભાળ નથી રાખતી કહીં પરિણીતા પર પતિનો ત્રાસ


તું દીકરાની સંભાળ નથી રાખતી કહી પરિણીતા પર પતિ ત્રાસ ગુજારતો અને દેરાણી ઘરકામ બાબતે અવાર નવાર ઝઘડાઓ કરી માનસિક ત્રાસ આપતી જે અંગેની પરિણિતાએ પતિ અને દેરાણી સામે ફરીયાદ નોંધાવી હતી.
માવતરે રહેતી પરિણીતા પુજાબેન મનોજભાઈ જરિયા (ઉ.વ.29 રહે- રાજનગર સોસાયટી)એ પતિ મનોજભાઈ રમેશભાઈ જરિયા અને દેરાણી મનિષાબેન જયેશભાઈ જરિયા સામે નોંધાવેલી ફરિયાદ મુજબ મારા લગ્ન વર્ષ 2018માં થયાં હતાં. અને આ લગ્ન દરમ્યાન સંતાનમાં એક દીકરો છે. અને મારા પતિ મનોજભાઇ મજુરી કામ કરે છે.
અમે સંયુકત પરિવારમાં રહીએ છીએ. મારા પતિ લગ્ન થયા બાદ થોડો સમય સારી રીતે રાખેલ બાદ નાની નાની વાતોમાંથી ઝઘડાઓ કરતા. મને મારા માતા- પિતા સાથે બોલવા ચાલવાનો કે આવવા જવાનો વહેવાર ન રાખવા ત્રાસ આપતા હતા. મને થાઇરોડની બીમારી છે. જેથી મારા પતિ મારી સારવાર પણ ન કરાવતા. કહેતા કે, તું દીકરાની સંભાળ નથી રાખતી.
મારી દેરાણી જેઓ ઘરકામની બાબતે અવાર નવાર ઝઘડાઓ કરી અપશબ્દો બોલતા હતા. આ વાત મારા પતિને કહું તો ઝઘડો કરી માર મારતા હતા. જેથી મારા પતિ તથા મારા દેરાણીના ત્રાસથી કંટાળી ગત તા.9 એપ્રિલના રોજ મારા પિતાના ઘરે રહેવા આવી ગયેલ. બાદ પરણિતાએ તેના પતિ અને દેરાણી સામે માનસિક શારિરીક ત્રાસ આપવા અંગેની ફરિયાદ નોંધાવી હતી.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.