સ્પાની આડમાં ચાલતા ગોરખધંધા નહીં ચલાવાય: હર્ષ સંઘવી - At This Time

સ્પાની આડમાં ચાલતા ગોરખધંધા નહીં ચલાવાય: હર્ષ સંઘવી


રાજ્યના વિવિધ શહેરોમાં સંખ્યાબંધ સ્પા સેન્ટરોમાં મસાજની આડમાં ગોરખધંધા ચાલી રહ્યા છે. અમદાવાદમાં સ્પા સેન્ટરની મહિલાને તેના ભાગીદારે ક્રુરતાપૂર્વક માર માર્યો તેને લઇને રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું છે કે સ્પાની આડમાં ચાલતા ગોરખધંધા નહિ ચલાવી લેવાય. જ્યાં કયાંય પણ આવી ગંદકી ચાલતી હશે, તેને સંપૂર્ણપણે દૂર કરવામાં આવશે. પોલીસ વિભાગ આ મામલે ખૂબ જ કામગીરી કરી રહ્યું છે. ગત વર્ષે આ વિષય પર મોટી કાર્યવાહી કરવામાં આવી હતી. ત્યારે આગામી સમયમાં પણ પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.