શ્રીકષ્ટભંજનદેવ દાદાને કેસુડાના દિવ્ય શણગાર એવં ધાણી,ખજુર-ડાળીયાનો અન્નકૂટ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/zadcgyudiddi0u7c/" left="-10"]

શ્રીકષ્ટભંજનદેવ દાદાને કેસુડાના દિવ્ય શણગાર એવં ધાણી,ખજુર-ડાળીયાનો અન્નકૂટ


વડતાલધામ દ્વિશતાબ્દી મહોત્સવ એવં શતામૃત મહોત્સવ સાળંગપુરધામ ઉપલક્ષમાં શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી તા.19-02-2023ને રવિવારના રોજ શ્રી કષ્ટભંજનદેવ દાદાને કેસુડાના વાઘા ધરાવી દાદાના સિંહાસનને શણગાર કરી સવારે 05:45 કલાકે શણગાર આરતી પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવેલ. બપોરે 11:45 કલાકે દાદાને ધાણી,ખજુર-ડાળીયા-તલના લાડું-મમરાના લાડુ-સીંગપાક વિગેરેનો અન્નકૂટ ધરાવવામાં આવેલ તેમજ મંદિરના પરિસર મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવેલ. જેના દર્શન-અન્નકૂટ-આરતીનો લાભ હજારો હરિભક્તો લઇ ધન્યતા અનુભવી હતી.

બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]