તીર્થધામ દેગમડા ખાતે અન્નક્ષેત્ર શરૂ કરાયું - At This Time

તીર્થધામ દેગમડા ખાતે અન્નક્ષેત્ર શરૂ કરાયું


મહિસાગર જિલ્લાના ખાનપુર તાલુકામાં આવેલ દેગમડા તીર્થધામ ખાતે પ્યાસાને પાણી અને ભૂખ્યાને ભોજન જય માં મહીસાગરના નાદ સાથે અન્નક્ષેત્ર શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં દર રવિવારે દસ વાગ્યાથી બે વાગ્યા સુધી શ્રદ્ધાળુઓને તેમજ માય ભક્તોને ભોજન પ્રસાદી આપવામાં આવશે. આમ અન્નક્ષેત્રમાં પ્રસાદ રૂપે ખીચડી,કઢી, ગોઠીયા અને બુંદી આપવામાં આવે છે. આમ શરૂ કરવામાં આવેલ નવતર સેવા કાર્યમાં સ્વેચ્છાએ ભક્તો જોડાયા છે. અને સેવા આપે છે. આ સેવા કાર્યમાં મહંત અરવિંદગીરી તેમજ આજુબાજુના વિસ્તારોમાંથી આવેલા સ્વયં સેવકો નિસ્વાર્થ ભાવે જોડાયા છે. અને ભક્તજનોને ભોજન પ્રસાદીથી જઠરાગ્નિ ઠારી ધન્યતાનો અનુભવ કરી રહ્યા છે

રીપોટર.ભીખાભાઈ ખાંટ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.