*સાબરકાંઠા જિલ્લામાં તા.૧૩/૧૪ માર્ચના રોજ કમોસમી વરસાદની આગાહી : ખેડૂતોને ખેત પાકો સલામત સ્થળે ખસેડવા અનુરોધ* ******** - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/yvf7a5ymoemssurc/" left="-10"]

*સાબરકાંઠા જિલ્લામાં તા.૧૩/૧૪ માર્ચના રોજ કમોસમી વરસાદની આગાહી : ખેડૂતોને ખેત પાકો સલામત સ્થળે ખસેડવા અનુરોધ* ********


*સાબરકાંઠા જિલ્લામાં તા.૧૩/૧૪ માર્ચના રોજ કમોસમી વરસાદની આગાહી : ખેડૂતોને ખેત પાકો સલામત સ્થળે ખસેડવા અનુરોધ*
********
હવામાન ખાતાની આગાહીને અનુલક્ષીને તા.૧૩/૧૪ માર્ચ ૨૦૨૩ના રોજ સાબરકાંઠા જિલ્લામાં કમોસમી વરસાદ તેમજ વાદળછાયા વાતાવરણ ની સંભાવના હોય કૃષિ વિભાગ દ્વારા ખેડૂતોને યોગ્ય પગલાં લેવા ભલામણ કરવામાં આવી છે.
વરીયાળી ના પાક કમોસમી વરસાદ તેમજ વાદળછાયા અને ભેજવાળા વાતાવરણ થી સંવેદનશીલ હોઇ ચરમી/કાળીયો રોગ થી પ્રભાવિત થઈ શકે તેમ હોય બચાવવા આવા સમયે પિયત અને ખાતર આપવાનું ટાળવું જોઈએ. પાકમાં રોગ દેખાય કે તરત જ કાર્બેન્ડાઝીમ ૧૨%
+ મેન્કોઝેબ ૬૩% ૦.૨ ટકા (૨૭ ગ્રામ ૧૦ લીટર પાણીમાં) અથવા ક્લોરોથેલોનીલ ૨૦ મીલી/૧૦ લીટર પાણી) અથવા કાર્બેન્ડાઝીમ ૦.૦૫% (૧૦ ગ્રામ ૧૦ લીટર પાણીમાં) દવાના કુલ ત્રણ છંટકાવ ૧૦ દિવસના અંતરે કરવાથી રોગ અટકાવી શકાય છે. ફૂગનાશક સાથે ૨૫ મિલી સાબુનું સંતૃપ્ત દ્રાવણ મિશ્ર કરી છોડ ઉપર ધુમ્મસ સ્વરૂપે છાંટવું.
કમોસમી વરસાદથી થતા પાક નુકસાનથી બચવા માટે શાકભાજી અને બાગાયતી પાકોને ઉતારી લેવા તેમજ ખેડૂતો ખેત ઉત્પાદિત પાક (તમાકુ, ચણા, મકાઈના ડોડા, એરંડાની માળ, ઘાસચારો) ખેતરમાંથી કાપણી કરેલ હોય તો તેની તાત્કાલિક સલામત સ્થળે ખસેડવા ની કાર્યવાહી કરવી અથવા પ્લાસ્ટિક તાડપત્રી થી યોગ્ય રીતે ઢાંકી દેવું અને ઢગલા ની ફરતે માટી નો પાળો બનાવી વરસાદનું પાણી ઢગલા નીચે જતું અટકાવવું.
જંતુનાશક દવા અને ખાતરનો ઉપયોગ આ સમયે પૂરતો ટાળવો. ખાતર અને બિયારણના વિક્રેતાઓએ જથ્થો પલળે નહીં તે મુજબ ગોડાઉનમાં સુરક્ષિત રાખવા.
એ.પી.એમ.સી. અથવા ખરીદ કેન્દ્ર તેમજ અન્ય ગોડાઉન ખાતે ખેત પેદાશોના જથ્થાને સલામત સ્થળે રાખવા તેમજ જથ્થાને કોઈ નુકસાન ન થાય તે માટે વેપારી અને ખેડૂત મિત્રોએ કાળજી રાખી આગોતરા સાવચેતીના પગલાં લેવા અનુરોધ કરવામાં આવે છે.
આ અંગે વધુ જાણકારી આપના વિસ્તારના ગ્રામસેવક, વિસ્તરણ અધિકારી, ખેતી અધિકારી, તાલુકા અમલીકરણ અધિકારી, મદદનીશ ખેતી નિયામક, જિલ્લા ખેતીવાડી અધિકારી, નાયબ ખેતી નિયામક વિસ્તરણ, નાયબ ખેતી નિયામક તાલીમ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખેડબ્રહ્મા અથવા કિસાન કોલ સેન્ટર ટોલ ફ્રી નંબર ૧૮૦૦ ૧૮૦ ૧૫૫૧ નો સંપર્ક કરવો

રિપોર્ટર
મોહમ્મદ શફી તાંબડીયા
સાબરકાંઠા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]