શ્રી યોગીરાજ વિદ્યામંદિર દ્વારા ધોરણ-૫ થી ૯ સુધીમાં રમતોત્સવ આયોજન કરવામાં આવ્યું. - At This Time

શ્રી યોગીરાજ વિદ્યામંદિર દ્વારા ધોરણ-૫ થી ૯ સુધીમાં રમતોત્સવ આયોજન કરવામાં આવ્યું.


શ્રી યોગીરાજ વિદ્યામંદિર દ્વારા ધોરણ-૫ થી ૯ સુધીમાં રમતોત્સવ આયોજન કરવામાં આવ્યું.

શ્રીયોગીરાજ વિદ્યામંદિર બોટાદમાં વિદ્યાર્થીઓના શારીરિક અને માનસિક તેમજ સર્વાંગી વિકાસ માટે સંસ્થાના ડાયરેક્ટરશ્રી ના માર્ગદર્શન અને સંચાલન હેઠળ અલગ અલગ રમત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું. સ્પર્ધામાં દોરડા કુદ સ્પર્ધા,ત્રીપગી દોડ,ચાંદલા ચોડવાની સ્પર્ધા,ફુગ્ગા ફૂલવાની સ્પર્ધા,લીંબુ-ચમચીની સ્પર્ધા,લોટમાંથી ચોકલેટ ગોતવાની સ્પર્ધા ગોઠવામાં આવી હતી.આ સ્પર્ધામાં શાળાના ૫ થી ૯ સુધીના વિદ્યાર્થીઓ ભાગ લીધેલ હતો.દરેક સ્પર્ધામાં બે વિજેતા ક્રમ આપવામાં આવ્યા હતા.વિજેતા થયેલ દરેક વિદ્યાર્થીઓને ઇનામ તેમજ ભાગ લેનાર દરેક વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.સ્પર્ધાને વધુ અસરકારક બનાવવા માટે તમામ સ્ટાફ મિત્રોએ જહેમત ઉઠાવી હતી.

Report By Nikunj Chauhan


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.