ઉનાળાની ઋતુમાં મુસાફરોની સુવિધા માટે બુધવારે ભાવનગર થી હરિદ્વારની સમર સ્પેશિયલ ટ્રેન દોડશે - At This Time

ઉનાળાની ઋતુમાં મુસાફરોની સુવિધા માટે બુધવારે ભાવનગર થી હરિદ્વારની સમર સ્પેશિયલ ટ્રેન દોડશે


ઉનાળાની ઋતુમાં મુસાફરોની સુવિધા માટે બુધવારે ભાવનગર થી હરિદ્વારની સમર સ્પેશિયલ ટ્રેન દોડશે

બુધવારથી જ ટિકિટ બુકિંગ શરૂ થશે ઉનાળાની ઋતુમાં મુસાફરોની સુવિધા માટે પશ્ચિમ રેલવેએ ભાવનગર અને હરિદ્વાર વચ્ચે ખાસ ભાડા પર "સમર સ્પેશિયલ ટ્રેન" ચલાવવાનો નિર્ણય લીધો છે. ભાવનગર ડિવિઝનના ડિવિઝનલ રેલવે મેનેજર રવીશ કુમારના જણાવ્યા અનુસાર, આ ટ્રેન ભાવનગર ટર્મિનસ સ્ટેશનથી માત્ર એક દિવસ માટે એટલે કે 01.05.2024 (બુધવાર)ના રોજ બપોરે 14.50 કલાકે ચાલશે.ટ્રેન નંબર 09271/09272 ભાવનગર-હરિદ્વાર-ભાવનગર "સમર સ્પેશિયલ ટ્રેન"ટ્રેન નંબર 09271 ભાવનગર-હરિદ્વાર "સમર સ્પેશિયલ ટ્રેન" 01.05.2024 (બુધવાર) ના રોજ ભાવનગર ટર્મિનસથી 14.50 કલાકે ઉપડશે અને બીજા દિવસે 20.30 કલાકે હરિદ્વાર પહોંચશે. આ ટ્રેન ભાવનગર ટર્મિનસથી માત્ર એક દિવસ માટે એટલે કે 01.05.2024 (બુધવાર)ના રોજ દોડશે.તેવી જ રીતે, ટ્રેન નંબર 09272 હરિદ્વાર-ભાવનગર "સમર સ્પેશિયલ ટ્રેન" 02.05.2024 (ગુરુવાર) ના રોજ હરિદ્વારથી 23.30 કલાકે ઉપડશે અને શનિવારે સવારે 07.30 કલાકે ભાવનગર ટર્મિનસ પહોંચશે. આ ટ્રેન પણ માત્ર એક દિવસ ચાલશે.આ ટ્રેન ભાવનગર પરા, સિહોર, ધોળા, બોટાદ, લીંબડી, સુરેન્દ્રનગર ગેટ, સહીત રોકાશે. આ ટ્રેનમાં સ્લીપર અને સેકન્ડ ક્લાસ સીટિંગ કોચ સામેલ છે.ટ્રેન નંબર 09271નું બુકિંગ 01.05.2024 (બુધવાર) ના રોજ પેસેન્જર રિઝર્વેશન સેન્ટર્સ અને IRCTC વેબસાઇટ પર શરૂ થશે.

રિપોર્ટ અસરફ જાંગડ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.