ગાંધીનગર ના માધવગઢ ગામે રામદેવપીર મહારાજના નવનિર્મિત મંદિરની ફોટાની પ્રાણ પ્રતિષ્ઠા યોજાઈ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/xjvfpovp9gj5uocr/" left="-10"]

ગાંધીનગર ના માધવગઢ ગામે રામદેવપીર મહારાજના નવનિર્મિત મંદિરની ફોટાની પ્રાણ પ્રતિષ્ઠા યોજાઈ


ગાંધીનગર જિલ્લાના માધવગઢ ગામમાં આવેલ રામદેવપીર મહારાજ તેમજ જોગણીમાતાના નવ નિર્મિત મંદિરની ફોટાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી જેમાં સમસ્ત માધવગઢ ગામ દ્વારા સવારે હવન(પાટલા )સાથે રામદેવપીર મહારાજની શોભાયાત્રા તેમજ બપોરે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ગામના તેમજ આજુબાજુ ગામના દાતાઓ દ્વારા નિસ્વાર્થ ભાવે દાન આપી પ્રસંગને શોભાવ્યો હતો.રાત્રે મંદિરે રામદેવપીર મહારાજના ત્રેત્રીસ જ્યોતપાઠનું આયોજન પણ કરવામાં આવ્યું હતું જેમાં ભજનના સથવારે ગામલોકો ઝૂમી ઉઠ્યા હતા.આ પ્રસંગે સમસ્ત માધવગઢ ગામ દ્વારા ખુબ મોટી સંખ્યામાં હાજર રહી રામદેવપીર મહારાજના દર્શનનો લાભ લીધો હતો.

રિપોર્ટર મહેશસિંહ રાઠોડ દહેગામ


6352006405
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]