રિવોલ્વર અને રોકડ સહિત 2 લાખની મતા ઉઠાવી ગયા; રણછોડનગર અને પંચશીલ સોસાયટીને ગઠિયાઓએ નિશાન બનાવી - At This Time

રિવોલ્વર અને રોકડ સહિત 2 લાખની મતા ઉઠાવી ગયા; રણછોડનગર અને પંચશીલ સોસાયટીને ગઠિયાઓએ નિશાન બનાવી


રાજકોટમાં તરખાટ મચાવનારી કાચતોડ ગેંગને સુરતના કરજણ ટોલનાકા પાસેથી પકડી પાડી

દિવાળીના તહેવારો નજીક આવતાની સાથે શહેરમાં ચોરી સહિતના બનાવોનો અવિરત વધારો થઇ રહ્યો છે. પોલીસના રાત્રી પેટ્રોલિંગની ગુનેગારોએ પોલ ખોલી નાખી જાણે લપડાક મારી હોય તેવો બનાવ પ્રકાશમાં આવ્યો છે. જેમાં ગત પરોઢિયે કારમાં આવેલા ગઠિયાઓએ શહેરના રણછોડનગર તેમજ પંચશીલ સોસાયટીમાં નવ કારને નિશાન બનાવી કાચ તોડી અંદરથી પરવાનાવાળી રિવોલ્વર, રોકડ વગેરે મળી કુલ રૂ.બે લાખની મતા તફડાવી ગયા છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.