શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સિહોરનો ૩૦ મો વાર્ષિકોત્સવ ઉડાન ની ઉજવણી કરવામાં આવી - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/wxqatparalwwq6d6/" left="-10"]

શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સિહોરનો ૩૦ મો વાર્ષિકોત્સવ ઉડાન ની ઉજવણી કરવામાં આવી


સિહોરની સુપ્રસિદ્ધ શૈક્ષણિક સંસ્થા શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સિહોર નો ભવ્ય 30 મો વાર્ષિક ઉત્સવ “ઉડાન” ઉજવવામાં આવ્યો. જેમાં અંગ્રેજી માધ્યમ તથા ગુજરાતી માધ્યમના બાળકોએ હર્ષોઉલ્લાસ ભેર ભાગ ભજવ્યો હતો. જેમાં દરેક વિદ્યાર્થીઓએ અલગ અલગ કૃતિઓ રજૂ કરી જેમાં જેના દ્વારા વિદ્યાર્થીઓને સર્વાંગી વિકાસ અને તેમનામાં રહેલી શક્તિઓને ખીલવવામાં આવી. આ પ્રસંગને દરેક વાલીશ્રીઓએ તથા વિદ્યાર્થીઓએ ખૂબ જ આનંદથી માણ્યો. આ કાર્યક્રમમાં પ.પૂ શાસ્ત્રી ભગવત સ્વરૂપદાસજી , પ.પૂ વિષ્ણુ સ્વરૂપદાસજી , પ.પૂ કે. પી સ્વામીજી , પ.પૂ સ્વામી કીર્તિસાગરદાસજી તથા પ.પૂ સ્વામી શ્રી કૃષ્ણદાસજીએ આશીર્વાદ આપ્યાં. તેમજ ભાવનગર જિલ્લાના શિક્ષણ અધિકારી શ્રી હિતેન્દ્રસિંહ પઢેરીયા એ હાજરી આપી હતી. તેમજ ડાયરેક્ટર શ્રી કનુભાઈ હડિયા ,ભરતભાઈ હડિયા તથા વિનુભાઈ હડિયા તથા આચાર્ય તથા સમગ્ર શિક્ષકગણ ભારે જહેમત ઉઠાવી હતી. રિપોર્ટ અશોકભાઈ ઢીલા શિહોર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]