બોટાદ-ગાંધીગ્રામ-બોટાદ દૈનિક ટ્રેન 14 જાન્યુઆરી સુધી રદ રહેશે - At This Time

બોટાદ-ગાંધીગ્રામ-બોટાદ દૈનિક ટ્રેન 14 જાન્યુઆરી સુધી રદ રહેશે


બોટાદ-ગાંધીગ્રામ-બોટાદ દૈનિક ટ્રેન 14 જાન્યુઆરી સુધી રદ રહેશે

પશ્ચિમ રેલ્વે અમદાવાદ ડિવિઝનના સાબરમતી સ્ટેશન યાર્ડ પર ચાલી રહેલા એન્જિનિયરિંગ કામને કારણે,બોટાદ-ગાંધીગ્રામ-બોટાદ દૈનિક ટ્રેન (09573/09574) તારીખ 14.01.2024 સુધી રદ(Cancelled)રહેશે.ભાવનગર ડિવિઝનના સીનિયર ડીસીએમ માશૂક અહમદના જણાવ્યા મુજબ, આ ટ્રેનોનું વિગતવાર વર્ણન નીચે મુજબ છે:-1.દરરોજ સવારે 07.00 કલાકે ગાંધીગ્રામથી બોટાદ જતી ટ્રેન નંબર 09573 ગાંધીગ્રામ-બોટાદ ટ્રેન 14.01.2024 સુધી રદ(Cancelled)રહેશે,2. દરરોજ 17.05 કલાકે બોટાદથી ગાંધીગ્રામ જતી ટ્રેન ટ્રેન નં. 09574 બોટાદ-ગાંધીગ્રામ પણ 14.01.2024 સુધી રદ(Cancelled)રહેશે.રેલવે પ્રશાસન રેલવે મુસાફરોને થયેલી અસુવિધા બદલ ખેદ વ્યક્ત કરે છે.

રિપોર્ટ અસરફ જાંગડ બોટાદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.