અમદાવાદમાં રવિશંકર કલાભવન આર્ટ ગેલેરીમાં ચિત્રકારો દ્વારા કેનવાસ અને પેન્સિલ દ્વારા બનાવેલ સુંદર ચિત્રો નું પ્રદર્શન. - At This Time

અમદાવાદમાં રવિશંકર કલાભવન આર્ટ ગેલેરીમાં ચિત્રકારો દ્વારા કેનવાસ અને પેન્સિલ દ્વારા બનાવેલ સુંદર ચિત્રો નું પ્રદર્શન.


અમદાવાદ ના રવિશંકર કલાભવન ની આર્ટ ગેલેરીમાં ચિત્ર પ્રદર્શન ચાર આર્ટીસ્ટો દ્વારા ફાઇન આર્ટ્સની પદવી લીધા બાદ અમદાવાદને કર્મભૂમિ બનાવી ચાર કલા પ્રેમી ૧ - દિનેશભાઈ પટેલ, ૨ - નરેન્દ્રભાઈ મેવાડા, ૩ - ચન્દ્રકાંતભાઈ પટેલ, ૪ - રમેશભાઈ બગસરિયા ના કેનવાસ અને પેન્સિલ દ્વારા બનાવેલ અપ્રતિમ અને સુંદર ચિત્રો નું પ્રદર્શન તારીખ ૨૯, થી ૩૧ ડિસેમ્બરે ૨૦૨૩ સુંધી રવિશંકર રાવલ ક્લાભવન ની આર્ટ ગેલેરી માં આયોજન કરવામાં આવ્યું હતું,

કુદરત ની અને પક્ષીઓ સહિત અલગ અલગ થીમ સાથે ની સાચી સુંદરતા આ ચાર કલાકારોએ કેનવાસ પર પોતાની કળા નું પ્રદર્શન કરવામાં આવ્યું હતું સાથે નરેન્દ્રભાઈ મેવાડા નામના આર્ટિસ્ટ દ્વારા સનાતન ધર્મ અને સંસ્કૃતિ ને ધ્યાનમાં રાખી સૂર્ય નારાયણ ઉપર રિસર્ચ અને કરી સૃષ્ટિ અને પર્યાવરણ સાથે સનાતની લાગણીઓ ચિત્રોમાં દર્શાવી ચિત્રો દ્વારા સમાજમાં સુંદર ઉદાહરણ પૂરું પાડ્યું હતું અને ચિત્રકાર નરેન્દ્રભાઈ મેવાડા ના જણાવ્યા મુજબ સૂર્યનારાણ ની કલા કૃતિઓમાં ૨૪ કેરેટ સોના નો પણ ઊપિયોગ કરવામાં આવ્યો છે,

કલાક્ષેત્ર ના ખ્યાતનામ વ્યક્તિઓ અને કલા પ્રેમીઓ માટે ૨૯ ડિસેમ્બર ૨૦૨૩ ના રોજ સાંજે ૪ :૦૦ કલાક થી ચિત્ર પ્રદર્શનને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું.

Report by :- Keyur Thakkar Ahmedabad


9879218574
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.