બોટાદ ખાતે શાંતિ વંદના ધમ્મ પ્રવચન કાર્યક્રમ યોજાયો - At This Time

બોટાદ ખાતે શાંતિ વંદના ધમ્મ પ્રવચન કાર્યક્રમ યોજાયો


બોટાદ ખાતે શાંતિ વંદના ધમ્મ પ્રવચન કાર્યક્રમ યોજાયો

તારીખ.૦૭/૦૨/૨૦૨૪ જયંતિભાઈ ચાવડા(સુનિલ ગેસ એજન્સી.બોટાદ)ના સાસુજી અને પુષ્પાબેન જયંતિભાઈના માતાશ્રી દિવંગત.નીરૂબેન ભુલાભાઈ પરમાર ટુંકી માંદગી અને ઉમર વયનાં કારણે તારીખ.૦૬/૦૨ ના રોજ કાલકૃત મૃત્યુ પામેલ જે નિમિત્તે તારીખ.૦૭/૦૨/ના રોજ રાત્રે ૯:૦૦ કલાકે જયંતિભાઈ ચાવડાના નિવાસ્થાને ટાઢાની વાડી સાળંગપુર રોડ બોટાદ ખાતે શાંતિ વંદના.બુદ્ધ વંદના અને તથાગત ભગવાન ગૌતમ બુદ્ધ નાં ધમ્મ પ્રવચનનું આયોજન રાખવામાં આવેલ તેમજ ત્યાગમુર્તી માતા રમાઈ ભીમરાવ આંબેડકરની જયંતિની ઉજવણીના ભાગરૂપે માતા રમાઈના ત્યાગ બલિદાન અને સંઘર્ષને યાદ કરીને જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવેલ કાર્યક્રમની શરૂઆત હરેશભાઇ પરમાર દ્વારા ત્રીશરણ પંચશીલ બુદ્ધ વંદના થી કરવામાં આવેલ ત્યારબાદ દુ:ખ મુક્તિના માર્ગ માટે અઢીહજાર વર્ષ પહેલા તથાગત ભગવાન ગૌતમ બુદ્ધ સાથે ઘટેલી ઘટના પટાચારાની કહાની અને ધમ્મ પ્રવચન બોધિરાજ બૌદ્ધ ઉર્ફ પરેશ રાઠોડ દ્વારા આપવામાં આવેલ.કાર્યક્રમનું સંચાલન વિઠ્ઠલભાઈ બોળીયા દ્વારા કરવામાં આવેલ સમાપન જયંતિભાઈ ચાવડા દ્વારા કરવામાં આવેલ શાતિ વંદના ધમ્મ પ્રવચન કાર્યક્રમમાં સગાં સ્નેહીજનો ભાઈઓ અને બહેનો મોટી સંખ્યામાં જોડાયા હતા.

બોટાદ બ્યુરો:ચિંતન વાગડીયા

મો:૮૦૦૦૮૩૪૮૮૮


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.