ખરોડ ગામના રણજીતપુરા ગામે તલાવમાં ડૂબી જતા એક બાળકનું મોત... - At This Time

ખરોડ ગામના રણજીતપુરા ગામે તલાવમાં ડૂબી જતા એક બાળકનું મોત…


વિરપુર તાલુકાના ખરોડ ગામના રણજીતપુરા કંપાના તળાવમાં શ્રમીક પરીવારનું બાળકનુ ડૂબી જતા મોત નિપજ્યું છે ત્યારે મળતી વિગતો અનુસાર બપોરના બે વાગ્યાની આસપાસ તાલુકાના ખરોડ ગ્રામ પંચાયતમાં આવેલ રણજીતપુરા કંપાની સીમમાં આવેલ તળાવમાં પંચમહાલ જીલ્લાના હાલોલ તાલુકાનો શ્રમીક પરીવારનો ૧૪ વર્ષીય નીતીન સુરેશભાઈ નાયક સહિતના બીજા બાળકો તળાવમાં પાસે હાથપગ ધોવા ગયા હતા તે દરમ્યાન નીતીનનો પગ લપસી પડતાં પાણીમાં ગરકાવ થઈ ગયો હતો જેની જાણ સ્થાનીકોને થતાં તાબડતોબ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને વિરપુર પોલીસને જાણ કરવામાં આવતા વિરપુર પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી સ્થાનિક તરવૈયાઓની મદદથી બે કલાકની જહેમત બાદ બાળકનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો મૃતદેહને બહાર કાઢી PM માટે ખસેડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે....

રિપોર્ટર . પ્રકાશ ઠાકોર વીરપુર મહીસાગર


7874548503
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.