શિક્ષક ભરતી કૌભાંડઃ પાર્થ ચેટરજી પર ચંપલ ફેંકીને મહિલાએ કહ્યું- 'આ નેતા જનતાનું ધન લૂંટે છે' - At This Time

શિક્ષક ભરતી કૌભાંડઃ પાર્થ ચેટરજી પર ચંપલ ફેંકીને મહિલાએ કહ્યું- ‘આ નેતા જનતાનું ધન લૂંટે છે’


- અર્પિતા અને પાર્થ દરોડામાં મળેલી રોકડ પોતાની હોવાનો ઈનકાર કરી રહ્યા હોવાથી આખરે તેનું માલિક કોણ તે એક સવાલકોલકાતા, તા. 02 ઓગષ્ટ 2022, મંગળવારપશ્ચિમ બંગાળના શિક્ષક ભરતી કૌભાંડમાં ફસાયેલા પૂર્વ મંત્રી પાર્થ ચેટરજી પર એક મહિલાએ ચંપલ ફેંક્યુ હોવાની ઘટના સામે આવી છે. એક મહિલાએ મંગળવારના રોજ 'કેશ કિંગ' પાર્થ ચેટરજી પર ચંપલ ફેંક્યુ હતું. તે દરમિયાન મહિલાએ આ નેતા જનતાનું ધન લૂંટી રહ્યા છે તેમ પણ કહ્યું હતું. પાર્થને ચેકઅપ માટે ઈએસઆઈ હોસ્પિટલ લઈ જવાયા તે સમયે આ ઘટના બની હતી. પાર્થ ચેટરજીએ રવિવારના રોજ એવો દાવો કર્યો હતો કે, દરોડા દરમિયાન ઈડીએ જે રોકડ જપ્ત કરી છે તે તેમની નથી. આ સાથે જ કોણ પોતાના વિરૂદ્ધ ષડયંત્ર રચી રહ્યું છે તે સમય જ બતાવશે તેમ પણ કહ્યું હતું. ઉલ્લેખનીય છે કે, પાર્થ ચેટરજીની સહયોગી અર્પિતા મુખર્જીએ અગાઉ કહ્યું હતું કે, તે રોકડ પાર્થ ચેટર્જીની છે. જોકે હવે તે બંને કેશ પોતાની હોવાનો ઈનકાર કરી રહ્યા છે ત્યારે કેન્દ્રીય એજન્સી માટે સૌથી મોટો સવાલ એ બની ગયો છે કે, દરોડામાં મળેલી તે સંપત્તિ આખરે કોની છે. 


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.