મોરબી જકાતનાકા પાસે બે બાઈક અથડાતાં એકનું મોત - At This Time

મોરબી જકાતનાકા પાસે બે બાઈક અથડાતાં એકનું મોત


અકસ્માત સર્જી બાઈકચાલક નાસી છૂટ્યો

પૂરઝડપે આવેલા બાઈકે મોપેડને ઠોકર મારી

ક્રાઇમ રિપોર્ટર|રાજકોટ શહેરમાં બેકાબૂ વાહનો દ્વારા અકસ્માતના બનાવો વધી રહ્યાં છે. વધુ એક અકસ્માતનો બનાવ મોરબી જકાતનાકા પાસે બન્યો હતો. જેમાં પૂરઝડપે ધસી આવેલા બાઇકે મોપેડને ઠોકરે લેતા સત્યમપાર્ક-2માં રહેતા પ્રદીપભાઇ મગનભાઇ દેથરિયા નામના પ્રૌઢનું મોત નીપજ્યું છે. ગાંધી સ્મૃતિ સોસાયટી-3માં રહેતા મૃતકના ભાઇ બકુલભાઇએ નોંધાવેલી ફરિયાદ મુજબ, પાંચ ભાઇ-બહેનમાં પ્રદીપભાઇ સૌથી નાનો હતો. તેને સંતાનમાં પુત્ર-પુત્રી છે. રવિવારે પોતે સિવિલ હોસ્પિટલમાં સિક્યુરિટી ગાર્ડની નોકરી પર હતો ત્યારે સાંજેપ્રદીપભાઇના પુત્ર અંકિતનો ફોન આવ્યો કે પપ્પાને મોરબી જકાતનાકા પાસે અકસ્માત નડ્યો છે અને તેમને માથામાં ગંભીર ઇજા થઇ છે. જેથી તેને 108 મારફતે સિવિલ હોસ્પિટલ લઇ આવવા કહ્યું હતું. થોડી વાર બાદ ભત્રીજો પ્રદીપભાઇને લઇ હોસ્પિટલ પહોંચ્યો હતો, પરંતુ પ્રદીપભાઇને સારવાર મળે તે પહેલાં જ તેનું મોત નીપજ્યાનું ફરજ પરના તબીબે જાહેર કર્યું હતું. બાદમાં તપાસ કરતા ભાઇ તેના મોપેડ પર જતો હતો. ત્યારે એક બાઇક પૂરઝડપે ધસી આવી અકસ્માત સર્જીને નાસી ગયો હોવાનું જાણવા મળ્યું હતું. બી ડિવિઝન પોલીસે બકુલભાઇની ફરિયાદ પરથી ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.