ધૂણતાં ધૂણતાં મોટી બહેને ભાઇને કહ્યું-નાની બહેનની વિધી કરવી પડશે નહિતર આપણી પથારી ફેરવશે...પછી ક્રુરતાથી રહેંસી નાંખી - At This Time

ધૂણતાં ધૂણતાં મોટી બહેને ભાઇને કહ્યું-નાની બહેનની વિધી કરવી પડશે નહિતર આપણી પથારી ફેરવશે…પછી ક્રુરતાથી રહેંસી નાંખી


ધ્રોલના હજામચોરામાં નવરાત્રીના દિવસોમા તાંત્રિકવિધી કરી નાની બહેનની સગા ભાઇ-બહેને હત્‍યા કર્યાની ઘટનામાં બહાર આવી ચોંકાવનારી વિગતો ૧૫ વર્ષની શારદાને માતાજીના પાઠવાળી ઓરડીમાં લઇ જઇ નિર્વષા કરી લાકડીઓ ફટકારી પછી ઢસડીને ઓસરીમાં લઇ જઇ લોખંડના ખાપીયા, છરીના ઘા ઝીંક્‍યા, છેલ્લે માથુ દિવાલમાં ભટકાવ્‍યુ મુળ દાહોદ પંથકના હત્‍યારા ભાઇ-બહેનને પોલીસે સકંજામાં લીધા ધ્રોલ પીએસઆઇ પનાર અને ટીમ દ્વારા ઉંડી તપાસ

સંજય ડાંગર દ્વારા) ધ્રોલ તા. ૧૯ : જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના હજામચોરા ગામમાં નવરાત્રીના પાવન દિવસોમાં તાંત્રિકવિધિ કરીને નાની બહેન શારદા તડવીની સગા ભાઇ રાકેશ તડવી અને સગીર વયની બહેને હત્‍યા કરતા ખળભળાટ મચી ગયો છે. આ પ્રકરણમાં પોલીસે બંને આરોપી ભાઇ-બહેનની અટકાયત કરી છે. જ્‍યારે મૃતકનો મૃતદેહ પોલીસે તેના પિતાને સોંપી દીધો છે જેથી અંતિમવિધિ માટે પોતાના વતનમાં લઇ ગયા છે. આ બનાવ અંગે ધ્રોલ પોલીસ સ્‍ટેશનના પી.એસ.આઇ. પી.જી.પનાર અને સ્‍ટાફે વધુ તપાસ હાથ ધરી છે.

પ્રાપ્‍ત માહિતી મુજબ મૂળ દાહોદ પંથકના વતની અને હાલ ધ્રોલના હજામચોરા ગામે વાડીએ રહેતા છગનભાઇ તડવીના મોટા પુત્ર રાકેશ તડવી અને તેમની બહેન જેᅠ ધાર્મીક વિધીના નામે પોતાની નાની બહેન શારદાબેન (ઉવ-૧૫)ને વાડીની ઓરડીમાં નવરાત્રી ચાલી રહી હોય એટલે માતાજીના પાઠ નાખેલ હોય તે ઓરડીમાં બોલાવી તેને સુવડાવી નિર્વષા કરી લાકડી વડે અનેᅠ છરી વડે શારદાને આડેધડ ઘા મારી બાદમાં બંને આરોપીએ શારદાને મારી નાખવા માટે ઢસડીને ઓરડીની બહાર ઓસરીમાં લઇ જઈ લોખંડના ખાપીયામાં તથા દિવાલમાં શારદાનુ માથુ ભટકાડી શરીરે આડેધડ ધા મારી હત્‍યા કરી હતી. બનાવની જાણ થતાં ધ્રોલ પોલીસ સ્‍ટાફ ઘટના સ્‍થળે દોડી ગયો હતો. અને આ મામલે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. મૂળ દાહોદ જીલ્લા તા ધાનપુર ગામ માંડવ ફળીયુ તડવી અને તેનો ભાઈ તેમજ પત્‍ની અને ભાભી સહિતનો પરિવાર છેલ્લા ત્રણ વર્ષથી ધ્રોલના હજામચોરા ગામે બીપીનભાઈની વાડી રહે છે અને ખેત મજૂરી કરે છે. નાની બહેનની હત્‍યા કરનાર રાકેશ પરિણત હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્‍યું છે.

ધૂણતી મોટી બહેનના કથનને ભાઇએ પણ સાથ આપ્‍યો'ને ખૂની ખેલ ખેલાયો હોવાનું ખુલ્‍યું છે. આરોપી સગીર બહેન અને ભાઇ રાકેશે નવરાત્રીમાં માતાજી પાઠ રાખ્‍યા હતા જે દરમિયાન આરોપી બહેન ધુણતી હોય, તેણે તેના ભાઇને એમ કહ્યુ કે, આપણે નાની બહેનની વિધિ કરવી પડશે, નહીતર આપણી પથારી ફેરવી દેશે.જે વાતમાં મોટાભાઇએ પણ સહયોગ આપતા મોડી રાત્રી દરમિયાન આ ક્રૂત હત્‍યાને અંજામ અપાયો હોવાનુ પ્રાથમિક તબકકે બહાર આવ્‍યુ હોવાનુ પોલીસ સુત્રોમાંથી જાણવા મળ્‍યુ છે.


9662147186
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.