શિશુવિહાર સંસ્થામાં યોજાયેલ ૪૫૧-૪૫૨ માં નેત્રયજ્ઞ દ્વારા ૮૦ જરૂરિયાતમંદ દર્દીઓને વિના મૂલ્યે નેત્ર સારવાર મળી  - At This Time

શિશુવિહાર સંસ્થામાં યોજાયેલ ૪૫૧-૪૫૨ માં નેત્રયજ્ઞ દ્વારા ૮૦ જરૂરિયાતમંદ દર્દીઓને વિના મૂલ્યે નેત્ર સારવાર મળી 


શિશુવિહાર સંસ્થામાં યોજાયેલ ૪૫૧-૪૫૨ માં નેત્રયજ્ઞ દ્વારા ૮૦ જરૂરિયાતમંદ દર્દીઓને વિના મૂલ્યે નેત્ર સારવાર મળી 
ભાવનગર શિશુવિહાર સંસ્થામાં યોજાયેલ નેત્ર યજ્ઞ દ્વારા ૮૦ જરૂરિયાતમંદ દર્દીઓને વિના મૂલ્યે નેત્ર સારવાર મળી શ્રીમતી જસકોરબહેન ન્યાલચંદભાઈ વકીલની સ્મૃતિમાં સ્વ. નિર્મળભાઈ વકીલ તથા શ્રી ભરતભાઈ વકીલના સૌજન્ય થી શ્રી મનીષભાઈ વકીલની ઉપસ્થિતિમાં ૪૫૧ મો પ્રભુકૃપા નેત્રયજ્ઞ શિશુવિહાર સંસ્થામાં યોજાય ગયો. તેમજ દિલ્હી સ્થિત શ્રી હિંમતભાઈ ઠક્કરનાં સૌજન્ય થી ૪૫૨ મો પ્રભુકૃપા નેત્રયજ્ઞ તારીખ.૨૮ ઓક્ટોબરનાં રોજ શિશુવિહાર પ્રાંગણમાં યોજાયો.
ગુજરાત અંધત્વ નિવારણ સોસાયટી તથા શિવાનંદ આઈ હોસ્પિટલના સહયોગથી યોજાયેલ પ્રભુકૃપા નેત્રયજ્ઞમાં ૮૦ દર્દીઓની આંખ તપાસ ડૉ શ્રી. શુભમભાઈ નામદેવ સાહેબ ની ટીમ દ્વારા કરવામાં આવી. જે તમામ ને શિશુવિહાર પરિસરમાં ડૉ. મીનાક્ષીબહેન ભરતભાઈ ગરીવાલા ભોજનાલયમાં સવારે ચા-નાસ્તો તથા બપોરે ભોજન બાદ જરૂરિયાત મંદ ૧૫ દર્દીઓને કેટ્રેક સર્જરી માટે તેમજ દર્દીઓના ૧૫ સહાયકોને ખાસ બસમાં વિરનગર લઈ જવામાં આવ્યા. દર્દી દેવોભવની ભાવનાથી વર્ષ ૧૯૬૮ થી ચાલતા પ્રભુકૃપા નેત્રયજ્ઞમાં શિશુવિહાર સંસ્થાના તમામ કાર્યકરોએ સેવા આપી હતી

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.