જિલ્લા પ્રભારી ભરતભાઈ આર્યના અધ્યક્ષસ્થાને બોટાદ જીલ્લા ના વિવિધ હોદ્દેદારો સાથે બેઠક યોજાઇ આ - At This Time

જિલ્લા પ્રભારી ભરતભાઈ આર્યના અધ્યક્ષસ્થાને બોટાદ જીલ્લા ના વિવિધ હોદ્દેદારો સાથે બેઠક યોજાઇ આ


જિલ્લા પ્રભારી ભરતભાઈ આર્યના અધ્યક્ષસ્થાને બોટાદ જીલ્લા ના વિવિધ હોદ્દેદારો સાથે બેઠક યોજાઇ

બોટાદ સર્કીટ હાઉસ ખાતે જિલ્લા પ્રભારી ભરતભાઈ આર્યના અધ્યક્ષસ્થાને આગામી તા. ૨૭ જુલાઈ ના રોજ માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ના રાજકોટ ખાતેના ઈન્ટરનેશનલ એરપોર્ટના ઉદ્ઘાટન કાર્યક્રમનાં આયોજન બાબત તેમજ જિલ્લાની પરિચય બેઠક, આગામી ગઢડા બી.એ.પી.એસ સ્વામીનારાયણ મંદિર ખાતે ૧૨-૧૩ ઓગસ્ટના રોજ જિલ્લા પંચાયતના અભ્યાસવર્ગના આયોજન બાબત તેમજ સંગઠનાત્મક ચર્ચાઓ તથા મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત માર્ગદર્શન આપ્યું.આ બેઠકમાં જિલ્લા મહામંત્રી જામસંગભાઈ પરમાર, જિલ્લા મહામંત્રી રસિક ભુંગાણી, જિલ્લા મહામંત્રી ભુપત મેર તેમજ પૂર્વ જિલ્લા પ્રમુખ ભીખુભા વાઘેલા, પૂર્વ જિલ્લા પ્રમુખ સુરેશ ગોધાણી, બોટાદ જિલ્લા દૂધ ઉત્પાદક સંઘના ચેરમેન ભોળાભાઈ રબારી ની વિશેષ ઉપસ્થિતીમાં અપેક્ષિત શ્રેણીઓની શ્રેણીબદ્ધ બેઠક અંતર્ગત ૧. જિલ્લા સંગઠનના હોદ્દેદારો, ૨. મંડલના પ્રમુખ-મહામંત્રીઓ, ૩. જિલ્લા મોરચાના પ્રમુખ-મહામંત્રીઓ, ૪. જિલ્લા પંચાયતના સદસ્યો ૫. નગરપાલિકા-તાલુકા પંચાયતના મુખ્ય હોદ્દેદારો ૬. સહકારી ક્ષેત્રના ચેરમેન, વાઈસ ચેરમેન તથા ડિરેકટરઓને માર્ગદર્શન આપ્યું.

રિપોર્ટ અસરફ જાંગડ બોટાદ
9998708844


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.