EVM હટાવો લોકતંત્ર બચાવો બેલેટ પેપર લાવો ની સાઈકલ યાત્રા ચોટીલા આવી પહોંચી - At This Time

EVM હટાવો લોકતંત્ર બચાવો બેલેટ પેપર લાવો ની સાઈકલ યાત્રા ચોટીલા આવી પહોંચી


*EVM હટાવો લોકતંત્ર બચાવો બેલેટ પેપર લાવો સાઈકલ યાત્રા ચોટીલા આવી પહોંચી*

રાજકોટ થી અમદાવાદ સુધી ની સાઈકલ યાત્રા આજે ચોટીલા મુકામે આવી પહોંચી હતી જેમાં તેઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને રાત્રી વિશ્રામ ચોટીલા મુકામે રાખેલ હતો
ઉના નાં જાગૃત લોકશાહી બચાઓ અને પૂર્ણ સ્વરાજ લાવો જેનાં માટે સતત પ્રયત્નશીલ એવાં યુવા ભાઈ શ્રી વિશાલભાઈ સોલંકી જે સૌરાષ્ટ્ર રાજ્યના ઢેબરભાઈ સરકાર નાં નિષ્ઠાવાન ધારાસભ્ય શ્રી સ્વ હમીરભાઈ સોલંકી નાં વંશજ હોય તેમની સાથે ઉત્તમભાઈ રાઠોડ અને કિશનભાઇ રાઠોડ સહયાત્રી ઓ સાથે સાઈકલ યાત્રા દ્વારા અમદાવાદ મુકામે પહોંચશે મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ,અને બાબા સાહેબ આંબેડકર નાં બંધારણ થકી મળેલ લોકશાહી ને બચાવવા EVM હટાવો ઝુંબેશ શરૂ કરવામાં આવી છે દેશ ની જનતાને જાગૃત કરવામાં આવશે તા.૨૭-૧૨-૨૦૨૨ ને મંગળવારે ગાંધીજી ની પ્રતિમા ને જયુબેલી ચોક થી સવારે સુતર ની આંટી પહેરાવી અમદાવાદ પ્રસ્થાન કરાવ્યું હતું સાથે સાથે સરદાર વલ્લભભાઈ પટેલ ની પ્રતિમા રેસકોર્ષ હારતોરા કરવામાં આવેલ અને ડો.બાબા સાહેબ આંબેડકર ની પ્રતિમા હોસ્પિટલ ચોક ને ફુલહાર કરવામાં આવેલ અને સાઈકલ યાત્રા ની આશિર્વાદ સાથે અમદાવાદ મુકામે ૧-૧-૨૦૨૩ નાં પહોંચશે અને વચ્ચે ગામડાં માં લોક જાગૃતિ આપતાં રહેશે આજે ચોટીલા મુકામે આવી પહોંચતા રાજુભાઈ કરપડા અને રામકુભાઈ કરપડા દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું અને સાઈકલ યાત્રા ને સાથ સહકાર આપેલ હતો સવારે ચોટીલા થી સાયલા તરફ યાત્રા પ્રસ્થાન કરશે

*રામકુભાઈ કરપડા મુળી*


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.