જસદણ ભાગવત કથામાં રક્તદાન કેમ્પ યોજાયો ૫૫ બોટલ રક્ત એકત્રિત કરાયું - At This Time

જસદણ ભાગવત કથામાં રક્તદાન કેમ્પ યોજાયો ૫૫ બોટલ રક્ત એકત્રિત કરાયું


હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
જસદણમાં તાજેતરમાં છાયાણી પરિવારના મોભી બચુભાઈ ભીમભાઈ છાયાણીના સુપુત્રોએ તેમનાં પરિવારના સ્વજનોના મોક્ષાર્થે શ્રીમદ્ ભાગવત કથાનું આયોજન કરેલ જેમાં દરેક ધાર્મિક પ્રસંગોની શ્રદ્ધા અને ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી દરમિયાન પટેલ સમાજના યુવા સામાજિક કાર્યકર પ્રવિણભાઈ (ખબરી) છાયાણી એ એક યાદીમાં જણાવ્યું હતું કે હાલ ઉનાળામાં રકતની જરૂરિયાત હોય તેને ધ્યાને રાખી કથામાં તાત્કાલિક એક રકતદાન કેમ્પનું આયોજન હાથ ધરવામાં આવ્યું જેમાં હાજર ભાવિકો દ્વારા ૫૫ બોટલ રક્ત એકત્ર થઇ ગયું હતું આ કેમ્પ થકી રક્ત જરૂરિયાત મંદ લોકોને મહદઅંશે ફાયદો થયો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.