પવિત્ર ધનુર્માસ શનિવાર નિમિતે શ્રીકષ્ટભંજનદેવ દાદાને સંગીતના સાધનોનો દિવ્ય શણગાર - At This Time

પવિત્ર ધનુર્માસ શનિવાર નિમિતે શ્રીકષ્ટભંજનદેવ દાદાને સંગીતના સાધનોનો દિવ્ય શણગાર


પવિત્ર ધનુર્માસ શનિવાર નિમિતે શ્રીકષ્ટભંજનદેવ દાદાને સંગીતના સાધનોનો દિવ્ય શણગાર

શ્રી વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પવિત્ર ધનુર્માસ નિમિતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી(અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી શ્રીકષ્ટભંજનદેવ દાદાને સંગીતના સાધનોનો દિવ્ય શણગાર તા. 06-01-2024ને શનિવારના રોજ દાદાને સંગીતના વાજિંત્રોમાં બીન,મોરલી,જલતરંગ,મૃદંગ,ખંજરી,ડફ,ઢોલ,શંખ,ઘંટા,ઝાલર,કિરતાલ,સારંગી,મંજીરાં,શરણાઈ,સરોદ,બંસી,તબલા,હારમોનિયમ,ડમરુ વગેરે સાધનો દિવ્ય શણગાર ધરાવી સવારે 5:30 કલાકે મંગળા આરતી પૂજારી સ્વામી દ્વારા તથા સવારે 7:00 કલાકે શણગાર આરતી વડતાલ ગાદી પીઠાધિપતિ ૧૦૦૮ આચાર્ય મહારાજશ્રી રાકેશપ્રસાદજી દ્વારા કરવામાં આવેલ તેમજ મંદિરના પટાંગણમાં સમગ્ર પવિત્ર ધનુર્માસ નિમિતે શ્રી હનુમાન ચાલીસા યજ્ઞ એવં મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવેલ.હજારો ભકતોએ દિવ્ય દર્શનનો લાભ પ્રત્યક્ષ તેમજ યુટ્યુબ ચેનલ દ્વારા ઓનલાઈન લીધેલ.

બોટાદ બ્યુરો ચિંતન વાગડીયા

મો:૮૦૦૦૮૩૪૮૮૮


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.