ભાવનગર લોક સેવક માનભાઈ ભટ્ટ ની સ્મૃતિમાં યોજાનાર ૩૩ મો નાગરિક સન્માન  સમારોહ - At This Time

ભાવનગર લોક સેવક માનભાઈ ભટ્ટ ની સ્મૃતિમાં યોજાનાર ૩૩ મો નાગરિક સન્માન  સમારોહ


ભાવનગર લોક સેવક માનભાઈ ભટ્ટ ની સ્મૃતિમાં યોજાનાર ૩૩ મો નાગરિક સન્માન  સમારોહ

 વિશ્વ વંદનીય પૂજ્ય મોરારીબાપુની નીશ્રામાં શિશુવિહાર સંસ્થાના ઉપક્રમે નાગરિક સન્માન સમારોહ તા.૨૪ જાન્યુઆરી બુધવારે સાંજે ૩/૩૦ કલાકે શિશુવિહાર પ્રાંગણમાં યોજાશે. 

 ચિત્રકૂટ ધામ તથા શિશુવિહાર ના ઉપક્રમે યોજાતા નાગરિક સન્માન સમારોહમાં નવી પેઢીનાં બાળકો અને યુવાનોમાં ખગોળ વિજ્ઞાન વિષયે જીજ્ઞાસા વિકસાવનાર ગુજરાતી વિજ્ઞાની તેમજ સતત ૫૫ વર્ષથી કાર્યરત ગુજરાતી વૈજ્ઞાનિકોનું અભિવાદન થશે.

    આ પ્રસંગે ભાવનગર યુનિવર્સીટીનાં પૂર્વ કુલપતિ તેમ ભારત સરકારની શિક્ષણ નીતિમાં નોંધનીય યોગદાન આપનાર ડો. નરેશ વેદની અનેક વિધ સેવાકીય પ્રવૃત્તિઓનું રૂ.૫૧૦૦૦/- તેમજ પ્રશસ્તીપત્ર સાથે અભિવાદન થશે.

   એક અત્યંત પ્રમાણિક અને નિષ્ઠાવાન આઈ.એ.એસ. અધિકારી તરીકે ગુજરાત સરકારમાં અનેક વિધ  પદો શોભાવનાર અને નિવૃત્તિ પછી પણ સમાજ ઉપયોગી કાર્યમાં સક્રિય શ્રી વસંતભાઈ ગઢવી તેમજ મહાત્મા ગાંધી ના પ્ર-પૌત્રી અને નઈ તાલીમ તેમજ સર્વોદ્દય વિચાર માટે સતત કાર્યરત શ્રી સોનલબેન પરીખનું પણ પરમપુજ્ય બાપુના વરદ હસ્તે અભિવાદન થશે.

   ભાવનગરની સેવા અને સંસ્કૃતિકતાનાં દીર્ઘકાલીન સંસ્કારો વિસ્તારનાર લોક સેવક શ્રી માનભાઈની પુણ્ય સ્મૃતિમાં શિશુવિહાર દ્વારા વર્ષ ૧૯૯૧ થી પ્રારંભાયેલ સેવાર્થી ગુજરાતીઓના અભિવાદન થકી ૧૧૧ નાગરિકો ની વંદના ગુજરાતનું ગૌરવ બને છે.

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.