લ્યુટન અને ડનસ્ટેબલ મહેર સમાજ યુકેના આર્થિક સહયોગથી આદિત્યાણા ખાતે ૨૩ મો યોજાયેલ નેત્રયજ્ઞનો લાભ ૪૦૦ જેટલા દર્દીઓએ લીધો. - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/vuivrkvvlssjzcgo/" left="-10"]

લ્યુટન અને ડનસ્ટેબલ મહેર સમાજ યુકેના આર્થિક સહયોગથી આદિત્યાણા ખાતે ૨૩ મો યોજાયેલ નેત્રયજ્ઞનો લાભ ૪૦૦ જેટલા દર્દીઓએ લીધો.


૭૯ દર્દીઓને મોતિયાનું વિનામૂલ્યે ઓપરેશન ઓજસ હોસ્પિટલ પોરબંદર ખાતે કરી આપવામાં આવશે
ગોસા(ઘેડ) પોરબંદર ત.૦૫/૧૨/૨૦૨૩
લ્યુટન અને ડનસ્ટેબલ મહેર સમાજ યુકેના આર્થિક સહયોગથી તેમજ શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલ રચિત શ્રી મહેર મહિલા વિકાસ મંડળ તથા શ્રી લીરબાઈ યુવાગ્રુપ દ્વારા તારીખ ૦૩/૧૨/૨૦૨૩ ને રવિવારના રોજ સરકારી હાઈસ્કૂલ આદિત્યાણા મુકામે નેત્રયજ્ઞ કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું
લ્યુટન અને ડનસ્ટેબલ મહેર સમાજ યુકે તથા શ્રી કેશવભાઈ રામભાઈ ઓડેદરાના આર્થિક સહકારથી છેલ્લા ૨૨ વર્ષથી પોરબંદરના ઘેડ તથા બરડા વિસ્તારમાં નેત્રયજ્ઞ તેમજ મેડિકલ કેમ્પનું વર્ષમાં બે વખત નિયમિત રીતે આયોજન કરવામાં આવે છે જેમાં નેત્રયજ્ઞમાં દર્દીઓને તપાસી તેમના મોતિયાબીનના વિનામૂલ્યે ઓપરેશન તેમજ જરૂરી દવાઓ આપવામાં આવે છે. દાતાશ્રી કેશવભાઈ રામભાઈ ઓડેદરા તથા સ્વ.શ્રી ભીખુભાઈ ગોંધિયા પરિવાર તરફથી આજના આ નેત્રયજ્ઞ કેમ્પનું અનુદાન આપવામાં આવેલ છે.
સરકારી હાઈસ્કૂલ આદિત્યાણા મુકામે તારીખ ૦૩/૧૨/૨૦૨૩ ને રવિવારના રોજ યોજાયેલા નેત્રયજ્ઞ કેમ્પની શરૂઆતમાં સંત શિરોમણી પૂજ્ય માલદેવ બાપુની સૂક્ષ્મ હાજરીમાં દાતાશ્રીઓ તેમજ આમંત્રિત મહેમાનોની હાજરીમાં દીપ પ્રગટાવી અજવાળાના ઓજસરૂપી નેત્રયજ્ઞ કેમ્પ ખુલ્લો મુકવામાં આવેલ હતો.
આ નેત્રયજ્ઞ કેમ્પમાં ખુલ્લો મુકતા વેળાએ સમાધાન સમિતિના સભ્ય અને શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સિલના ટ્રસ્ટી અરજનભાઈ બાપોદરા (ગાંડાબાપા) એ પોતાના પ્રસંગિક પ્રવચનમાં લ્યુટન અને ડનસ્ટેબલ મહેર સમાજ તેમજ કેશવભાઈ રામભાઈ ઓડેદરા,ડો. કાનાભાઈ ગરેજા,સંસ્થાના ઉપપ્રમુખ અરજનભાઈ ખિસ્તરીયા, હાઈસ્કૂલના આચાર્ય લાખાણશીભાઈ ઓડેદરા, મહિલા મંડળના પ્રમુખ રમાબેન ભુતિયા તેમજ સાથી બહેનો તથા કાર્યકર્તા ભાઈઓ તેમજ દર્દીઓને આવકાર્યા હતા તેમજ દાતા પરિવારનો આભાર વ્યક્ત કરી આ નેત્રયજ્ઞની શરૂઆત કરવામાં આવી હતી
આ તકે શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સિલ રચિત મહેર મહિલા વિકાસ મંડળના પ્રમુખ શ્રીમતી રમાબેન ભૂતિયાએ પોતાના વક્તવ્યમાં જણાવેલ કે વિદેશના દાતાઓના સહકારથી દર વર્ષે પોરબંદરના ગ્રામ્ય વિસ્તારમાં વર્ષમાં બે વખત મેડિકલ કેમ્પ કરવામાં આવે છે તે ખૂબ જ સરાહનીય કામગીરી છે અને આ સેવાકીય કામગીરીમાં મહેર મહિલા મંડળના બહેનોને સહભાગી બનવાની તક પ્રાપ્ત થયેલ તે બદલ દાતાશ્રીઓનો આભાર વ્યક્ત કર્યો હતો
આ નેત્રયજ્ઞ કેમ્પમાં પોરબંદર ખાતે ઓજસ હોસ્પિટલના ડો.કાનાભાઈ ગરેજા દ્રારા ૪૦૦ જેટલા આંખના દર્દીઓને તપાસવામાં આવેલા હતા અને જરૂરિયાત વાળા દર્દીઓને વિના મુલ્યે દવાઓ આપવામાં આવી હતી, નેત્રયજ્ઞ કેમ્પમાં ઉપસ્થિત ૪૦૦ જેટલા દર્દીઓને તપાસવામાં આવેલા જેમાં ૭૯ દર્દીઓને મોતિયાનું નિદાન થતાં આ દર્દીઓને વિનામૂલ્યે ઓપરેશન ઓજસ હોસ્પિટલ પોરબંદર ખાતે કરી આપવામાં આવશે
શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સિલના પ્રમુખશ્રી વિમલજીભાઈ ઓડેદરા વિદેશ હોવાથી આ કેમ્પમાં હાજર રહી નહીં શકતા તેઓએ તેમના શુભેચ્છા સંદેશમાં જણાવેલ કે કેશવભાઈ રામભાઈ ઓડેદરા તેમજ લ્યુટન અને ડનસ્ટેબલ મહેર સમાજ યુકેના આર્થિક સહયોગથી દર વર્ષે કરવામાં આવતા નેત્રયજ્ઞ તેમજ મેડિકલ કેમ્પ કામની કામગીરીને બિરદાવી સૌ દાતાશ્રીઓ આભાર વ્યક્ત કર્યો હતો તેમજ આ વિસ્તારના લોકોને કેમ્પનો લાભ લેવા અપીલ કરી હતી.
આ નેત્રયજ્ઞ કેમ્પમાં મહેર કોમ્યુનિટી એસોસિએશન યુકેના પૂર્વપ્રમુખ શ્રી કેશવભાઈ રામભાઈ ઓડેદરા,શ્રીમતી વાલીબેન કેશવભાઈ ઓડેદરા,ઇન્ટરનેશનલ સુપ્રીમ કાઉન્સિલના ઉપપ્રમુખશ્રી અરજનભાઈ ખિસ્તરીયા, શ્રી માલદેરાણા કેશવાલા મહેર સમાજ ઝુંડાળાના ઉપપ્રમુખ સામતભાઈ ઓડેદરા, માર્કેટિંગ યાર્ડના ચેરમેન લક્ષ્મણભાઈ ઓડેદરા, અરજનભાઈ બાપોદરા(ગાંડાબાપા), આદિત્યાણા હાઇસ્કુલના આચાર્ય લાખણશીભાઈ ઓડેદરા, કરશનભાઈ ચૌહાણ, પોપટભાઈ મોઢવાડિયા, સુભાષભાઈ કેશવાલા, ઓઘડભાઈ ખુંટી તેમજ મહેર મહિલા વિકાસ મંડળના પ્રમુખ રમાબેન ભૂતિયા સાથે પુતિબેન મોઢવાડિયા, કિરણબેન ઓડેદરા, હીરાબેન રાણાવાયા, હીરાબેન ગોરાણીયા, લીલુબેન ટીંબા સહિતના ગ્રામ્યજનો તેમજ દર્દીઓ હાજર રહ્યા હતા.
રિપોર્ટર :- વિરમભાઈ કે. આગઠ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]