જસદણ-રાજકોટ રૂટની એસ. ટી. બસમાં મુસાફરોની જોખમી માકમાવાની સિઝનમાં જસદણ એસટી તંત્ર નવા રૂટ શરૂ નથી કરતી - At This Time

જસદણ-રાજકોટ રૂટની એસ. ટી. બસમાં મુસાફરોની જોખમી માકમાવાની સિઝનમાં જસદણ એસટી તંત્ર નવા રૂટ શરૂ નથી કરતી


જસદણ-રાજકોટ રૂટની એસ. ટી. બસમાં મુસાફરોની જોખમી માકમાવાની સિઝનમાં જસદણ એસટી તંત્ર નવા રૂટ શરૂ નથી કરતી

જસદણ રાજકોટ, રાજકોટ જસદણ રૂટમાં ધાર્યા કરતાં પણ વધારે ટ્રાફિક મળતો હોવા છતાં પણ નવા રૂટ ફરી કાર્યરત કરવામાં ન આવતા વ્યાપક રોષ ઉઠયો છે.

“અબ પછતાયે હોત ક્યાં, જબ ચીડિયા ચુગ ગઈ ખેત” આ કહેવત જેવી જસદણ એસટી ડેપોની હાલત થાય તે પહેલા તંત્ર દ્વારા રાજકોટ જસદણ, જસદણ રાજકોટ બંધ કરાયેલા બસના રૂટ ફરી શરૂ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. આ ઉપરાંત શાળા-કોલેજો પણ ફરી કાર્યરત થઇ રહ્યા છે.

ઉપરોક્ત રૂટ ઉપર ઘણા વિદ્યાર્થીઓ અને રોજિંદા અપડાઉન કરતા મુસાફરોની સંખ્યા પણ વ્યાપક પ્રમાણમાં છે, એસ. ટી. તંત્ર દ્વારા તાકીદે બંધ રૂટ ફરી શરૂ કરવા આવે તે ઉપરાંત વધારે રૂટ શરૂ કરવાની તાતી જરૂરિયાત છે આ થકી મરણ પથારી તરફ જઈ રહેલ એસ. ટી. તંત્ર ફરી જીવંત થાય તેવું જસદણ ની પ્રજા કહી રહી છે, અન્યથા એસટી તંત્રની હાલત પણ બીએસએનએલ જેવી થઈ જશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી.
રીપોર્ટ રસીક વિસાવળીયા 7801900172


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.