મહીસાગર જીલ્લામાં કોંગ્રેસમાં ભંગાણ કોંગ્રેસના બે અગ્રણી નેતાએ ધારણ કર્યો કેશરીયો - At This Time

મહીસાગર જીલ્લામાં કોંગ્રેસમાં ભંગાણ કોંગ્રેસના બે અગ્રણી નેતાએ ધારણ કર્યો કેશરીયો


મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકામાં આવેલ ટાઉન હોલ ખાતે ભાજપની કારોબારી બેઠક મળી હતી. જેમાં મહીસાગર જીલ્લાના કોંગ્રેસના અગ્રણી બે મોટા નેતાઓએ આજરોજ કેશરીયો ધારણ કર્યો છે. ભાજપની કારોબારી બેઠકમાં મહીસાગર જિલ્લા કોંગ્રેસના પૂર્વ તાલુકા પંચાયત સદસ્ય અજયસિંહ ચૌહાણ અને આર.કે. માલિવાડ ભાજપમાં જોડાયા છે. ત્યારે ફરી એકવાર મહીસાગર કોંગ્રેસમાં ભંગાણ સર્જાયું છે.આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ, પૂર્વ ધારાસભ્યો, જિલ્લા કારોબારીના હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.ત્યારે આ બેઠકમાં બે કોંગ્રેસના અગ્રણીઓ ભાજપમાં જોડાઈને કેશરીયો ધારણ કરતા કોંગ્રેસમાં ગાબડું પડ્યું છે. ત્યારે ગત વિધાનસભા ચૂંટણી પહેલા પણ કોંગ્રેસમાંથી જિલ્લા ઉપ પ્રમુખ ઉદેસિંહ ચૌહાણે કોંગ્રેસ સાથે છેડો ફાડી આપમાં જોડાયા હતા. ત્યારે ફરી એક વાર બે અગ્રણી નેતાઓ કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો હતો.અને ભાજપમાં જોડાયા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.