૨૫ ઓક્ટબરે બરવાળા મામલતદાર કચેરીના સભાખંડ ખાતે તાલુકાકક્ષાનો સ્વાગત કાર્યક્રમ યોજાશે - At This Time

૨૫ ઓક્ટબરે બરવાળા મામલતદાર કચેરીના સભાખંડ ખાતે તાલુકાકક્ષાનો સ્વાગત કાર્યક્રમ યોજાશે


જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને આગામી તા.૨૫/૧૦/૨૦૨3ને બુધવારના રોજ સવારના ૧૧-૦૦ કલાકે બરવાળા મામલતદાર કચેરીના સભાખંડ ખાતે તાલુકાકક્ષાનો સ્વાગત કાર્યક્રમ યોજાશે બરવાળા તાલુકાના યોજાનારા જાહેર ફરિયાદ નિવારણ “સ્વાગત” કાર્યક્રમમાં બરવાળા તાલુકાના સમગ્ર નાગરીકો તેમનાં રોજિંદા જીવનને સ્પર્શતા પ્રશ્નો, લાંબા સમયથી પડતર પ્રશ્નો કે નીતિ વિષયક પ્રશ્નો, તે સિવાયની અન્ય તકલીફો કે જેનો સ્થાનિક તંત્ર દ્વારા અરજી કરવા છતાં નિકાલ ન કરવામાં આવતો હોય તેવા પ્રશ્નો રજુ કરવાના રહેશે સ્થાનિક તંત્રની લોકો પ્રત્યેની જવાબદેહીતા તથા જનસંવેદના ધ્યાને લઇ તમામ પ્રશ્નોનો નિયમોનુસાર નિકાલ કરવામાં આવશે. આવા પ્રશ્નો માટેની અરજી તારીખ ૨૦/૧૦/૨૦૨૩ સુધીમાં જાહેર રજાના દિવસો સિવાય સવારના ૧૧-૦૦ કલાકથી સાંજના ૬-૦૦ કલાક સુધી સ્વીકારવામાં આવશે તેમ બરવાળા મામલતદારની યાદીમાં જણાવાયું છે.

બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા

મો:૮૦૦૦૮૩૪૮૮૮


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.