વડોદરા: પોસ્ટ વિભાગના આર.એમ.એસ W ડીવીઝન દ્વારા તિરંગા યાત્રાએ આકર્ષણ જમાવ્યું - At This Time

વડોદરા: પોસ્ટ વિભાગના આર.એમ.એસ W ડીવીઝન દ્વારા તિરંગા યાત્રાએ આકર્ષણ જમાવ્યું


વડોદરા,તા.08 ઓગષ્ટ 2022,સોમવારવડોદરા સાઉથ ગુજરાત પોસ્ટલ રિજિયનના ઉપક્રમે આર.એમ.એસ W ડીવીઝનના કર્મચારીઓ અને અધિકારીઓ દ્વારા આજે આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રામાં વડોદરા આર.એસ.એસ. તેમજ હેડ રેકોર્ડ ઓફિસના કર્મચારીઓએ બહોળી સંખ્યામાં કર્મચારી અને અધિકારીઓ જોડાયા હતા.  તિરંગા યાત્રાનું પોસ્ટ માસ્ટર જનરલ વડોદરાના કાર્યાલય ડાક ભવન પ્રતાપગંજથી પ્રસ્થાન થયું હતું અને વડોદરા બસ ડેપો અને રેલવે સ્ટેશન થઈને કાલા ઘોડા સર્કલથી પસાર થઈ હતી અને ત્યાંથી કમાટીબાગ થઈને  ડાક ભવન પ્રતાપગંજ ખાતે રેલી પૂર્ણ થઈ હતી. આ રેલીમાં વંદે માતરમ અને હર ઘર તિરંગા જેવા સૂત્રોએ રાહદારીઓમાં આકર્ષણ જમાવ્યું હતું.  ઉલ્લેખનિય છે કે, કેન્દ્ર સરકાર દ્વારા નાગરિકોમાં દેશભક્તિ જગાવવાના ઉદ્દેશથી દરેક નાગરિક પોતાના ઘર અને કાર્યાલય ઉપર 13થી 15 ઓગસ્ટ સુધી તિરંગો ફરકાવે તેવુ આહવાન કરવામાં આવ્યું છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.